ઈસ્લામાબાદ: વિવાદાસ્પદ અને અર્થ વગરના નિવેદનો માટે જાણીતા પાકિસ્તાનના સંરક્ષણમંત્રી એ દેશની સંસદ સમક્ષ ભારતના ડ્રોન હુમલાનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો. જો કે એ અલગ બાબત છે કે ભારતે પાકના તમામ શહેરોની એર ડિફેન્સ સીસ્ટમ તબાહ કરી લીધી હતી.
તેથી ભારતના ડ્રોનને પાકનું સૈન્ય પારખી શકયુ નહી પણ સંરક્ષણમંત્રી ખ્વાજા અબ્બાસે એવો દાવો કર્યો કે ભારતના ડ્રોન હુમલાની આપણને જાણ હતી પણ આપણુ લોકેશન છતુ થઈ જાય નહી.
તેથી તે ડ્રોન તોડી પડાયા ન હતા તેણે દાવો કર્યો કે ભારતના ડ્રોન પાકના સૈન્ય મથકોનું લોકેશન શોધવા આવ્યા હતા પણ આપણે ઈરાદાપૂર્વક તેને ટાર્ગેટ કર્યો નહી પણ જેઓ તેમાં એક સેઈફ લીમીટની બહાર આવ્યા તો તોડી પડાયા હતા.
ખ્વાજા અબ્બાસે દેશની સંસદને આ પ્રકારના કારણો આપ્યા હતા. આ અગાઉ તેઓએ દાવો કર્યો કે જરૂર પડે મદ્રેસાઓના બાળકોને પણ લડવા મોકલાશે. તેઓએ ભારતના સૈન્ય મથકોને નિશાન બનાવવાની ડંફાસ મારી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy