ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા રઉફ અઝહર વિશે તમે શું જાણો છો ?

India, Operation Sindoor | 09 May, 2025 | 05:22 PM
અફઘાનિસ્તાનના કંધાર એરપોર્ટ પર ઇન્ડિયન એરલાઇન્સની ફલાઇટ IC-814ને હાઇજેક કરી હતી તેમાં રઉફ અઝહરની ભૂમિકા મુખ્ય હતી
સાંજ સમાચાર

નવી દિલ્હી : પાકિસ્તાનમાં ભારતના ઓપરેશન સિંદૂરમાં ઘણા આતંકીઓ માર્યા ગયા હતા. ભાજપે દાવો કર્યો છે કે આ આતંકીઓમાં અબ્દુલ રઉફ અઝહરનો પણ સમાવેશ થાય છે.

અબ્દુલ રઉફ અઝહર એ આતંકવાદની સાંકળનું નામ છે જેણે દાયકાઓ સુધી ભારતમાં આતંકવાદી ઘટનાઓનું કાવતરૂ ઘડ્યું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકનું નેટવર્ક વધાર્યું હતું. ભારતીય સેનાએ તેની હત્યા કરી જૈશ-એ-મોહમ્મદની કમર તોડી નાખી છે. 

કોણ હતો રઉફ અઝહર?
અબ્દુલ રઉફ અઝહર ઉર્ફે મુફ્તી અઝહર અને સદા વાવા, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ)નો ચીફ કમાન્ડર હતો. તે જેએમના સ્થાપક અને કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરનો નાનો ભાઈ હતો.

રઉફનો જન્મ 1 જાન્યુઆરી 1977ના રોજ પાકિસ્તાનમાં થયો હતો. 2007માં જ્યારે મસૂદ અઝહર અંડરગ્રાઉન્ડ થયો ત્યારે તૌ રઉફે આતંકી સંગઠનની કમાન સંભાળી અને ભારત સહિત અફઘાનિસ્તાનમાં આતંકી નેટવર્કને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. 

તેની હત્યા કેવી રીતે કરવામાં આવી ?
7 મે, 2025 ના રોજ, ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પીઓજેકેમાં આતંકવાદી મથકો પર હવાઈ હુમલો કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકનું મોત થયું હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

દાવો કરવામાં આવ્યો છે કે, 15 એકરમાં ફેલાયેલી ’મરકઝ સુવાહન અલ્લાહ’ પર કાર્યવાહીમાં રઉફ અઝહર માર્યો ગયો હતો. આ દરમિયાન તેના પરિવારના ઘણા સભ્યોની પણ ભોગ લેવાયો હતો. જેમાં તેની બહેનનો અને જીજાજી સહિત કુલ 14 સગા સંબંધીઓ સામેલ હતાં. 

દુનિયાની નજરમાં રઉફ શું છે?
ભારતે 27 ઓક્ટોબર, 2020 ના રોજ, રઉફને યુએપીએ હેઠળ નિયુક્ત આતંકવાદીઓની સૂચિમાં શામેલ કર્યો હતો. ઇન્ટરપોલે રઉફ વિરૂધ્ધ 20 થી રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. 2010માં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ તેને સત્તાવાર રીતે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. 

અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લ સાથે શું સંબંધ હતો?
અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લ 2002માં પાકિસ્તાનના બહાવલપુર ગયા હતા, જ્યાં આતંકવાદીઓએ તેમનું અપહરણ કરીને તેમની ક્રૂર હત્યા કરી હતી. રઉફના સંગઠને આ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પર્લના પરિવાર અને સહયોગીઓએ ’ઓપરેશન સિંદૂર’માં વહવાલપુર પર થયેલા હુમલાને ’ન્યાય તરફનું પગલું’ ગણાવ્યું છે.

ડેનિયલ પર્લની સહયોગી અસરા નોમાનીએ ભાવુક નિવેદન કરીને ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો છે. આરએઆઈઆર ફાઉન્ડેશનના સ્થાપક અમેરિકન એક્ટિવિસ્ટ એમી મેકે પણ ભારતના વખાણ કર્યા હતા અને તેને ન્યાય ગણાવ્યો હતો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj