ભગવાન બ્રહ્માના માનસપુત્ર મહર્ષિ ભૃગુનો જન્મ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયો હતો. ‘ભૃગુ’નો અર્થ છે ‘ઉજજવળ’, એટલા માટે વૈદિક સાહિત્યમાં ભૃગુની તુલના સૂર્ય સાથે કરવામાં આવી છે.
ઋગ્વેદ અનુસાર ઋષિ ભૃગુ અગ્નિ દેવતા ‘માતરિશ્વન’થી અગ્નિ પ્રાપ્ત કરીને તેને પૃથ્વી પર લઇને આવ્યા અને લોકોને અગ્નિનો ઉપયોગ કરવાનું શીખવ્યું આ કારણે ભાર્ગવોને અગ્નિપૂજક માનવામાં આવે છે.
ભૃગુએ જ અગ્નિને શુધ્ધ-અશુધ્ધનં જ્ઞાન કર્યા વગર સર્વભક્ષી હોવાનો શાપ પણ આપ્યો હતો જયોતિષના પ્રસિધ્ધ ‘ભૃગુ સંહિતા’ના રચયિતા ભૃગુ જ છે.
ભાગવત પુરાણને અનુસાર ભૃગુના વિવાહ રાજા દક્ષની પુત્રી ખ્યાતિ સાથે થયા હતા. તેનાથી તેમને બે પુત્ર ધાતા-વિધાતા અને પુત્રી લક્ષ્મીનો જન્મ થયો. ઋષિ ભૃગુની પુત્રી હોવાના કારણે લક્ષ્મીનું એક નામ ભાર્ગવી પણ છે.
તેમની બીજી પત્ની કાવ્યામાતા (દિવ્યા)થી પુત્ર ઉશના (દૈત્ય ગુરૂ શંકરાચાર્ય)નો જન્મ થયો. તેની એક અન્ય પત્ની પૌલમીથી બે પુત્ર ચ્યવન અને ઋચિક થયા. ભૃગુના મોટા ભાઇ ઋષિ અંગિરા છે, જેના પુત્ર દેવગુરૂ બૃહસ્પતિ છે. મહર્ષિ ભૃગુની પુત્રી લક્ષ્મીનો વિવાહ ભગવાન વિષ્ણુ સાથે થયા.
એક પૌરાણિક કથા અનસાર દેવાસુર સંગ્રામના સમયે મહર્ષિ ભૃગુની પત્ની ખ્યાતિએ ભૃગુની ગેરહાજરીમાં પોતાના આશ્રમમાં અસુરોની દેવતાઓથી રક્ષા કરી આથી ક્રોધિત થઇને ભગવાન વિષ્ણુએ ભૃગુ-પત્ની ખ્યાતિનું સુદર્શન ચક્રથી મસ્તક વાઢી નાખ્યુ જયારે ભૃગુને આ વાતની જાણ થઇ કે શ્રી હરિએ તેની પત્નીની હત્યા કરી છે તો તેમણે ભગવાન વિષ્ણુને શાપ આપ્યો કે તેઓ વારંવાર પૃથ્વીલોક પર સ્ત્રીના ગર્ભથી જન્મ લેશે.
મહર્ષિ ભૃગુથી જોડાયેલી એક અન્ય પ્રસિધ્ધ પૌરાણિક કથા છે. એક વાર ઋષિ સમાજમાં એ જાણવાની ઇચ્છા થઇ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં સર્વ શ્રેષ્ઠ કોણ છે. બધા ઋષિઓએ આ કાર્ય ભૃગુને સોંપ્યુ કે તેઓ ત્રણેયની પરીક્ષા લે અને બતાવે કે તેમાં શ્રેષ્ઠ કોણ છે ?
ભૃગુ સૌથી પહેલા બ્રહ્માજીની પાસે ગયા પરંતુ તેમને પ્રણામ કર્યા નહિ તેથી બ્રહ્માજી ક્રોધિત થઇ ગયા. ત્યારપછી ભૃગુ મહાદેવની પાસે ગયા ત્યાં તેમના વ્યવહારથી શંકરજીને પણ ક્રોધિત કરી દીધા. ત્યારપછી તેઓ વિષ્ણુની પાસે ગયા અને તેમને યોગ નિંદ્રામાં લીીન જોઇને તેમના વૃક્ષસ્થાન પર પોતાના પગથી પ્રહાર કર્યો તેથી શ્રી હરિની નિંદ્રા તૂટી ગઇ પરંતુ તે ભૃગુ પર ક્રોધિત ન થયા પરંતુ તેમના ચરણને પંપાળતા પૂછયુ કે હે ઋષિવર, મારા કઠોર વૃક્ષસ્થળ પર આપના પગ લાગવાથી પોતાને પીડા તો પહોંચી નથી.
આ સાંભળી ભૃગુએ વિનીત થઇને કહ્યું. પ્રભુ, ઋષિ સમાજની એ જાણવાની ઇચ્છા હતી કે આપ ત્રણેય દેવોમાં સર્વશ્રેષ્ઠ કોણ છે ? આપના વ્યવહારે સિધ્ધ કરી દીધુ છે કે ત્રણેય દેવોમાં અન્ય જ શ્રેષ્ઠ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy