નવી દિલ્હી તા.9
પાકિસ્તાન સાથેના તનાવ વચ્ચે એક તરફ ભારતીય સેના અને અર્ધલશ્કરી દળો પુરી રીતે એકશનમાં છે તે વચ્ચે કેન્દ્ર સરકારે તમામ ટેરેટરીયલ ફોર્સ એટલે કે પ્રાદેશિક દળોને પણ હવે તાત્કાલીક ફરજ પર હાજર થઈ જવા આદેશ આપ્યો છે અને જરૂર પડયે તેમને યુદ્ધમાં પણ જોડી શકાશે.
સરકારના આદેશના ભાગરૂપે અંદાજે 1.60 લાખ જવાનો હવે ફરજ પર આવશે. 40 હજાર જવાનો હાલ કાશ્મીર સહિતના મોરચે ફરજ બજાવી રહ્યા છે. સરકારના આદેશથી ટીમ ઈન્ડીયાના પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પણ સૈન્ય ફરજમાં હાજર થવુ પડે તેવા સંકેત છે.
ધોની ભારતીય પ્રાદેશિક સેનાનો કર્નલ છે અને તેણે અલગ અલગ રીતે ત્રણ વર્ષ સેનામાં તાલીમ લીધી છે અને હવે તેના માટે ખરેખર ડયુટીનો સમય આવી ગયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy