નવી દિલ્હી,તા.26
ફ્રાન્સનાં ભવિષ્યવેતા અને લેખક નોસ્ત્રાડેમસે અનેક ભવિષ્યવાણીઓ કરી છે. દુનિયા તેની ભવિષ્યવાણીને ગંભીરતાથી લે છે. તેણે પોતાના પુસ્તક ‘લેસ પ્રોફેટીઝ’માં રહસ્યમય અને ગૂઢ ભાષામાં કરેલી ભવિષ્યવાણીનાં અલગ અલગ અર્થ કાઢવામાં આવે છે.
પહેલગામ આતંકી હુમલા બાદ ફરી નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણી બહાર આવી છે. નોસ્ત્રાડેમએ ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને ભવિષ્યવાણી કરી છે. દુનિયાની સામે વધુ એક યુદ્ધનો માહોલ છે,.જાણકાર માને છે કે, જો યુદ્ધ થયુ તો દુનિયા ફરીથી બે ભાગમાં વહેંચાઈ શકે છે.
આશંકા તો એ વ્યકત થઈ રહી છે કે શું આ ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા છે? હાલની પરિસ્થિતિને નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણીઓની દ્રષ્ટિએ જોઈએ તો તેમણે કહ્યું હતું કે 2012 થી 2025 દરમ્યાન ત્રીજા મહાયુદ્ધની હાલત બની શકે છે.
તેમણે કહ્યું હતું કે, અનિશ્વરવાદીઓ અને ઈશ્વરવાદીઓ વચ્ચે સંઘર્ષ થશે અને એક મુકિતદાતા શાંતિદુત બનીને આવશે તે યુરોપ નહિં પણ એશીયામાં હશે તે ત્રણ બાજુથી ઘેરાયેલા સમુદ્ર ક્ષેત્રમાં જન્મ લેશે. અને પોતાની શકિત સતાના દમ પર અદ્વિતિય રીતે શકિતશાળી હશે.
નોસ્ત્રોડેમસની ભવિષ્યવાણી ભારતના સંદર્ભમાં
હવે ઉપરોકત ભવિષ્યવાણીને ભારતનાં સંદર્ભમાં જોડીએ તો ભારત ત્રણ તરફથી સમુદ્રથી ઘેરાયેલા છે. પાંચ નદીઓની વાત કરીએ તો પંજાબમાં સિંધુ નદીના કિનારે સતલજ, બ્યાસ ઝેલ, ચિનાબ, અને રાવીનો સંગમ બને છે અને હાલની સ્થિતિમાં સિંધુ જળ સમજુતી સમાચારોમાં છે.
ફ્રાન્સમાં મશહુર સ્તંભકાર ફેંકોઈસ ગોટીયરનાં મુજબ નોસ્ત્રોડેમએ ભારતને લઈને 450 વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી. તેમણે જે નેતૃત્વની ભવિષ્યવાણી કરી હતી તે પુરૂષ હાલ ભારતના વડાપ્રધાન છે.ફ્રેંકાઈએ તેને વડાપ્રધાન મોદી સાથે જોડાયા હતા.
નોસ્ત્રાડોમસે ભવિષ્યવાણી કરી હતી કે જયારે વિશ્વ ધાર્મિક કટ્ટરતાના લાંબા દોરમાં પસાર થઈ રહ્યું હશે ત્યારે ધર્મનાં આધારે લોકોનાં ભાગલા પાડવામાં આવશે. રકતપાત, બીમારી, દુકાળ, યુદ્ધ ભુખમરાની હાલત સર્જાશે આજે દુનિયામાં ધર્મને નામે સંઘર્ષ ચાલી જ રહ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy