નવીદિલ્હી તા.30
આવતીકાલે 1લી મેનાં દિવસે અનેક ફેરફાર થઈ રહ્યા છે. જેની અસર આપના ખિસ્સા પર પડશે. એટીએમમાંથી રકમ ઉપાડવાથી માંડીને ટ્રેનની ટિકિટ બુકીંગ સુધી અનેક ફેરફાર થશે.
જયારે આરબીઆઈના પ્રવાહ પોર્ટલની શરૂઆત થશે, જેવી બધી બેંકો, નાણાકીય કંપનીઓ અને અન્ય નિયમન કરેલ સંસ્થાઓએ પોતાના કામોનો નિકાલ કરવો પડશે.
એટીએમમાંથી રકમનો ઉપાડ મોંઘો થશે
જો આપ એટીએમથી રોકડ ઉપાડી રહ્યા છો કે નાખી રહ્યા છો કે બેલેન્સ ચેક કરી રહ્યા છો તો નિર્ધારિત સીમાં બાદ લાગતા ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો રૂા.21માંથી 23 કરાયો પાંચ ટ્રાન્જેકશન બાદ આ ચાર્જ લાગે છે.
રેલવે ટિકિટ બુકીંગ અંતર્ગત નિયમો બદલશે
હવે સ્લીપર અને એસી કોચમાં જ વેઈટીંગ ટિકિટથી યાત્રા થઈ શકશે. ટિકિટ બુકીંગનો સમય 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરાયો છે. આ ઉપરાંત ભાડુ અને રિફંડ ચાર્જ પણ વધી શકે છે.
એફડી અને બચત ખાતાના વ્યાજમાં ફેરફાર
આરબીઆઈએ ગત મહિને જ દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકમાં રેપો દરો ઘટાડવાનું એલાન કયુર્ં હતું. લોન, જમા અને બચત ખાતામાં વ્યાજદરો ઘટી શકે છે.
ગ્રામીણ બેન્કોનો વિલય થશે
11 રાજયોમાં ક્ષેત્રીય ગ્રામીણ બેન્કોનો વિલય થશે 1 મેથી એક રાજય એક ક્ષેત્રીય ગ્રામીણ બેન્કની નીતિ લાગુ થશે. આથી બેન્કોની કાર્યક્ષમતા વધશે અને ગ્રાહકોને મહેતર સુવિધા મળશે. આ વિલય યોજનામાં ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉતર પ્રદેશ વગેરે રાજયો સામેલ છે.
પ્રવાહ પોર્ટલથી બેન્કોનું કામ સરળ બનશે
આરબીઆઈએ જણાવ્યું હતું કે 1 મેથી બધી બેન્કો નાણાકીય કંપનીઓ અને અન્ય વિનિયમિત સંસ્થાઓને ઓથોરિટી, લાયસન્સ અને અનુમોદન માટે કોઈપણ આવેદન જમા કરવા માટે પ્રવાહ પોર્ટલનો ઉપયોગ કરવો પડશે. આ પ્રવાહ પોર્ટલથી બેન્કોનું કામ સરળ બનશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy