ભૂતકાળની સ્મૃતિ સંબંધોમાં બહુ મોટી ખામી બની જાય છે


Advertisement

વસંતઋતુ અસ્તિત્વમાં છે અને મન વિતેલી પાનખરની સ્મૃતિમાં વ્યસ્ત છે.

પ્રસન્નતા અનુભવાશે ? વર્તમાનમાં શરીર તંદુરસ્ત છે અને મન એક વરસ પહેલાં વેઠેલ કોરોનાની પીડાની સ્મૃતિમાં રમમાણ છે.

આનંદ અનુભવાશે ? અત્યારે વસવાટ વાલકેશ્ર્વરમાં છે અને મન ત્રણ વર્ષ પૂર્વેના ઝુંપડપટ્ટી વિસ્તારના વસવાટમાં લીન છે.

મજા અનુભવી શકાશે ? સંબંધો અત્યારે તાજગીસભર છે, સૌહાર્દપૂર્ણ છે. મતભેદ રહિત છે, ગેરસમજ મુકત છે, ઉષ્માસભર છે અને મન જો ભૂતકાળમાં કેટલાક બની ગયેલ કટુ પ્રસંગોમાં જ રમમાણ છે તો નિશ્ર્ચિત સમજી રાખવું કે ભૂતકાળની એ ભૂતાવળ તારા વર્તમાનને ત્રાસદાયક બનાવીને જ રહેવાની છે.

શું કહું ? ભૂતકાળમાં વર્તમાન બનાવી શકાતો નથી પણ ભૂતકાળને જયારે સ્મૃતિપથ પર લાવવામાં આવે છે ત્યારે એ ભૂતકાળને માણસ વર્તમાન બનાવી દે છે.

Advertisement
Advertisement
Advertisement