ચૈત્રી નવરાત્રીનું મહાત્મ્ય


Advertisement

નવરાત્ર બે શબ્દો મળીને બને છે, નવ સંખ્યા દર્શાવે છે કે જયારે રાત્રિ કાળ દર્શન કરાવે છે, સાધકો માટે રાત્રિનો સમય શ્રેષ્ઠ સમય છે. દિવસ વ્યવહાર માટે જયારે રાત્રી પ્રભુ (માતા) પ્યાર માટે જયારે નવ આંક પૂર્ણાક છે. પંચ મહાભૂત ચતુષ્ક અંતકરણ પ્રકૃતિ વિકાર વિશ્વપ્રપંચનું જ આ પરિણામ છે નવ આંક એનું તો સૂચક છે ! અન્ય અર્થમાં જોઇએ તો ચેતન માત્રને ચેતનવંતુ રાખનાર નવ સત્વો અને એનું સંચાલન કરનાર નવગ્રહો, નવનાથ, નવદ્વીપ, નવનાગ, નવધા ભકિત, નવ નિધિ હજુ પણ ગહેરાઇમાં ગોથુ મારીએ તો માનવીના દેહ રૂપી અયોધ્યાના નવ દ્વાર છે. અર્થાત નવ ઇન્દ્રીયો છે. એક એક ઇન્દ્રીયોના આવરણને એક એક રાત્રિએ દુર કરવું એનું નામ જ નોરતા યાને નવરાત્રી સાધના.

સામાન્યત વર્ષમાં ચાર નવરાત્રી આવે ચૈત્ર, અષાઢ, આસો અને માહ અમા આસો અને ચૈત્રી નવરાત્રી મહત્વપૂર્ણ છે. આ સમય ઋતુઓનો મિલન કાળ પણ છે. ઋતુ વિજ્ઞાન અનુસાર જીવનનું મુળ કારણ સ્ત્રોત ‘અગ્નિ’ અને ‘સોમ’ (જળ) છે. જેનો ધર્મ ઉષ્ણ અને શિત છે. આની શરૂઆત આ બંને નોરતામાં થાય છે. ચૈત્રમાં ગરમી જયારે આસોમાં ઠંડી. આ સમય સ્વાસ્થ્ય સાથે પણ સંબંધ ધરાવે છે. વૈદિક વિજ્ઞાન અનુસાર શરદ અને વસંત ઋતુને યમના દાંત ગણવામાં આવે છે. આયુર્વેદ અનુસાર શરદ ઋતુમાં પિત અને વસંત ઋતુમાં કફનો પ્રકોપ પ્રગટે છે. આનુ શમન કરવા શકિત જોઇએ અને એ શકિત એક ગીત કરવાનું અમોઘ અસ્ત્ર એટલે ‘નવરાત્ર’ (શરદ ઋતુને રોગની માતા અને વસંત ઋતુને રોગનો પિતા ગણવામાં આવે છે. એટલેસ્તો જીવન શરદ શતમ્ જેવા આશિર્વાદ આપવામાં આવે છે) -ઘનશ્યામભાઇ ઠકકર, રાજકોટ (ગાયત્રી ઉપાસક)

Advertisement
Advertisement
Advertisement