રાજકોટ,તા.18
ખરાઉનાળામાં અને ધોમધખતા તાપ વચ્ચે પણ રાજકોટ જિલ્લામાં વન્ય જીવોનાં આંટાફેરા વધી ગયા છે. તાજેતરમાં જ રાજકોટનાં આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટની દિવાલ પાસે ખુંખાર દિપડાએ દેખા દીધા બાદ હવે દિપડો રાજકોટની નજીક એટલે કે રાજકોટની ભાગોળ સુધી પહોંચી ગયો છે. આથી વનવિભાગ પણ સક્રીય બની ગયુ છે તો જયાં-જયાં દિપડા દેખાયા છે. તે વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.
આ અંગે જિલ્લા વનવિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ નજીક ઈશ્વરીયા પાસે આજી-2 ડેમ નજીક આવેલ મનહરપુરમાં એક ખુંખાર દિપડો છેલ્લા બે દિવસથી આવી ચડયો છે.
અને મનહરપુરનાં વાડી તથા સિમવિસ્તાર અને આજી-2 ડેમનાં કેચમેન્ટ એરિયામાં આંટાફેરા કરી રહ્યો છે. આથી મનહરપુર અને ઈશ્ર્વરીયાનાં ખેડૂતો તથા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
દરમ્યાન આ દિપડા અંગે ગ્રામજનોએ રાજકોટ જિલ્લા વન વિભાગને જાણ કરતા વનવિભાગ તાત્કાલીક ઉપરોક્ત સ્થળે દોડી ગયો હતો અને દિપડાનાં પગનાં નિશાન ચકાસતા તે દિપડાનાંજ હોવાનું બહાર આવેલ હતું. આથી વનવિભાગે તાત્કાલીક આ વિસ્તારમાં બે દિવસથી પાંજરૂ ગોઠવી દીધુ છે.
જો કે આજ સુધી દિપડો પાંજરામાં ફસાયો નથી, આથી વનવિભાગનો સ્ટાફ સતત ઉપરોકત વિસ્તારમાં સઘન તપાસ સાથે વોચ રાખી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મનહરપુરનાં ખેડુતોએ ગત મોડીરાત્રી દરમ્યાન જ આજી-2 ડેમનાં કેચમેન્ટ એરીયામાં માત્ર પાંચ ફુટ દુરથી દિપડાને નિહાળ્યો
હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy