‘દિપડો’ રાજકોટની ભાગોળે પહોંચ્યો : મનહરપુરમાં બે દિ’થી પડાવ

Saurashtra | Rajkot | 18 April, 2025 | 04:12 PM
આજી - 2 ડેમ આસપાસની સીમવાડી વિસ્તારમાં આંટાફેરાથી ખેડૂતો - ગ્રામજનોમાં ફફડાટ : વનવિભાગે, પાંજરૂ ગોઠવ્યુ : દિપડાનાં પગનાં નિશાન પણ મળ્યા
સાંજ સમાચાર

રાજકોટ,તા.18
ખરાઉનાળામાં અને ધોમધખતા તાપ વચ્ચે પણ રાજકોટ જિલ્લામાં વન્ય જીવોનાં આંટાફેરા વધી ગયા છે. તાજેતરમાં જ રાજકોટનાં આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટની દિવાલ પાસે ખુંખાર દિપડાએ દેખા દીધા બાદ હવે દિપડો રાજકોટની નજીક એટલે કે રાજકોટની ભાગોળ સુધી પહોંચી ગયો છે. આથી વનવિભાગ પણ સક્રીય બની ગયુ છે તો જયાં-જયાં દિપડા દેખાયા છે. તે વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગે જિલ્લા વનવિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ નજીક ઈશ્વરીયા પાસે આજી-2 ડેમ નજીક આવેલ મનહરપુરમાં એક ખુંખાર દિપડો છેલ્લા બે દિવસથી આવી ચડયો છે.

અને મનહરપુરનાં વાડી તથા સિમવિસ્તાર અને આજી-2 ડેમનાં કેચમેન્ટ એરિયામાં આંટાફેરા કરી રહ્યો છે. આથી મનહરપુર અને ઈશ્ર્વરીયાનાં ખેડૂતો તથા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

દરમ્યાન આ દિપડા અંગે ગ્રામજનોએ રાજકોટ જિલ્લા વન વિભાગને જાણ કરતા વનવિભાગ તાત્કાલીક ઉપરોક્ત સ્થળે દોડી ગયો હતો અને દિપડાનાં પગનાં નિશાન ચકાસતા તે દિપડાનાંજ હોવાનું બહાર આવેલ હતું. આથી વનવિભાગે તાત્કાલીક આ વિસ્તારમાં બે દિવસથી પાંજરૂ ગોઠવી દીધુ છે.

જો કે આજ સુધી દિપડો પાંજરામાં ફસાયો નથી, આથી વનવિભાગનો સ્ટાફ સતત ઉપરોકત વિસ્તારમાં સઘન તપાસ સાથે વોચ રાખી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મનહરપુરનાં ખેડુતોએ ગત મોડીરાત્રી દરમ્યાન જ આજી-2 ડેમનાં કેચમેન્ટ એરીયામાં માત્ર પાંચ ફુટ દુરથી દિપડાને નિહાળ્યો 
હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj