કચ્છ, તા.9
26 જાન્યુઆરી, 2001ના રોજ ભારતના 52 માં પ્રજાસત્તાક દિવસે ગુજરાતના કચ્છમાં ભુંકોનો આંચકો અનુભવાયો હતો. જે ભૂકંપનો આંચકો 2 મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી મળ્યું હતું. જે ધરતીકંપના કારણે આશરે 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા.
ગુજરાતના કચ્છની ધરા પર અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે ગઇકાલ તા.6 ડિસેમ્બરને શુક્રવારના રોજ કચ્છના રાપર પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 1:59 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો અને તેની તિવ્રતા 2.8ની નોંધાય છે. તેમજ રાપરથી 12 કી.મી. દુરનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે.
કચ્છ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ગત સપ્તાહમાં જ ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ સાથે જ જોવા જઈએ તો છેલ્લા 3 મહિનામાં ગુજરાતની ધરા 10 વખત ધ્રુજી ચૂકી છે. જેમાં નવેમ્બરમાં જ 8 આંચકાનો સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં આ વર્ષે ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી-ઓક્ટોબરમાં 1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યારસુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી. આ 13 વર્ષમાં 7 આંચકામાં કચ્છમાં એપિસેન્ટર હતું.
વર્ષ 2024માં 6 આંચકામાં તીવ્રતા ચારથી વધારે નોંધાઇ હતી. જેમાં 15 નવેમ્બરના 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો ત્યારે પાટણથી 13 કિલોમીટર દૂર એપિસેન્ટર હતું. તેમજ તા.6 ડિસેમ્બરના રોજ આવેલ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના રાપરથી 12 કી.મી. દુર નોંધાયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy