♦ આપઘાત પાછળનું કારણ જાણવા ન મળતા ભાડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી
રાજકોટ તા.18
જસદણ તાલુકાના રાજાવડલા (જામ) ગામે રહેતી 22 વર્ષીય કાજલ મકવાણાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેનું લાંબી સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું હતું.
આ અંગે પોલીસ સૂત્રો અને પરિવારજનો પાસેથી મળેલી વિગત અનુસાર કાજલબેન ઘુઘાભાઈ મકવાણા (ઉ.વ.22, રહે.રાજાવડલા (જામ) ગામ, તા.જસદણ, જિ.રાજકોટ) ગઈ તા.9/4/25ના રોજ બપોરે 2 વાગ્યે તેના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોને જયારે આ વાતની જાણ થઈ ત્યારે તત્કાલ કાજલને ભાડલાની સત્યમ હોસ્પિટલમાં દાખલ કરી હતી.
ત્યાથી વધુ સારવાર માટે સરધારની સ્વામીનારાયણ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. જો કે, તબિયત સુધારામાં ન આવતા પરિવારજનોએ કાજલને રાજકોટની રિધમ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં સારવાર આપી પણ તબીયત વધુ લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તા.17/4ના રોજ રીફર કરવામાં આવેલ. અત્રે ચાલુ સારવાર દરમિયાન ગત મોડી રાત્રે 12.30 વાગ્યા આસપાસ કાજલે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો.
ભાડલા પોલીસની ટીમે રાજકોટ સિવિલ હોસ્પિટલે આવી મૃતદેહ પીએમ અર્થે ખસેડી પરિવારની પુછપરછ કરતા જાણવા મળેલ કે, કાજલ 2 ભાઈ અને 1 બહેનમાં મોટી હતી. તેના પિતા ખેતીકામ કરે છે. કયાં કારણોસર આ પગલું ભર્યું તેનાથી પરિવારજનો અજાણ છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy