રાજકોટ, તા.28
જેતપુરના ખજુરી ગુંદાળા ગામે કુવામાં પડી જતા 22 વર્ષીય લાલસીંગ વિહાભાઈ ડાવરનું મોત થયું હતું. તે ભાગવા જતા અકસ્માતે પડી ગયાના અનુમાન સાથે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, લાલસીંગ વિહાભાઈ ડાવર (ઉં. વ.22, મૂળ મધ્યપ્રદેશ) નો મૃતદેહ ગઈકાલે જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામની સીમમાં આવેલ શૈલેષભાઈ હરદાસભાઇની વાડીના કુવામાંથી મળી આવ્યો હતો.
બનાવની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહ કૂવામાંથી બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે પરિવારજનોની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, લાલસિંગ મૂળ એમપીનો વતની હતો. તેનો એક ભાઈ વડિયા નજીક આવેલા તોરી રામપર ગામે ખેત મજૂરી કરે છે.
જ્યારે બીજો ભાઈ સાવરકુંડલા પંથકમાં ખેત મજૂરી કરે છે. લાલસિંગ અપરણી હોય, થોડા થોડા દિવસ બંને ભાઈઓની સાથે રહેતો હતો. ખજુરી ગુંદાળા ગામે શૈલેષભાઈ હરદાસભાઇની વાડીમાં લાલસીંગના સગા ખેત મજૂરી કરતા હોય તે ત્યાં આંટો મારવા આવ્યો હતો. સૂત્રોમાંથી મળેલી વિગત મુજબ, બનાવ બન્યો.
ત્યારે રામસિંગ અને અન્ય બે ત્રણ વ્યક્તિ દારૂ પીવા બેઠા હતા. એવામાં વાડી માલિક આવતા હોવાનું જણાતા બધા ભાગ્યા હતા. એવામાં લાલસિંગ કૂવામાં પડી ગયો હતો. જેતે સમયે અન્ય મજુરે કોઈને જાણ નહોતી કરી પછી મૃતદેહ કૂવામાં જોવા મળ્યો હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ ભીમભાઈ ગંભીર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy