પુંછ(જમ્મુ-કાશ્મીર),તા.9
ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત લોકોને જિલ્લા રેડ ક્રોસ ફંડમાંથી તાત્કાલિક રાહત અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. બુધવારે પૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં 15 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
પૂંછના ડીસી વિકાસ કુંડલે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ કરવામાં આવેલ હતો. હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા, બ્લડ બેંકની મુલાકાત લીધી અને જરૂરી સૂચનાઓ આપી હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને 6 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 50,000 રૂપિયા અને નાના ઘાયલોને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે.
પીડિતોને સમયસર સહાય મળે તે સુનિશ્ર્ચિત કરવા માટે સ્થાપિત ધોરણો મુજબ રાહત પૂરી પાડવામાં આવે છે. પૂંછના ડીસી વિકાસ કુંડલે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે ગોળીબારમાં ઘાયલ થયેલા અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો વિશે માહિતી એકત્રિત કરવા માટે જિલ્લા હોસ્પિટલની પણ મુલાકાત લીધી.
ડેપ્યુટી કમિશનરે શોકગ્રસ્ત પરિવારના સભ્યો સાથે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી હતી તેમણે રક્તની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે બ્લડ બેંકની પણ મુલાકાત લીધી હતી. કોઈપણ કટોકટીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો અને અવિરત પુરવઠો સુનિશ્ર્ચિત કરવા ત્યાંના સ્ટાફને સૂચના આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy