ગોંડલ તા.19
ગોંડલ તાલુકાના કંટોલીયા ગામે 24 ઘરોમાં આવતીકાલે તા.20ના રોજ 24 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. ગાયત્રી પરીવાર ગોંડલના માધ્યમથી શાંતિકુંજ હરીદ્વારના આદેશ મુજબ ગુરૂદેવ શ્રીરામ શર્મા આચાર્યજીની તપ સાધનાની શતાબ્દી, માતા ભગવતી દેવીના જન્મ શતાબ્દી તેમજ અખંડ જયોતના પ્રાગટયને સો વર્ષ પૂર્ણ થતા મહાન ઉદેશ જેવા કે વ્યસન મુકિતનો સંદેશ ગામે ગામે, વૃક્ષારોપણ દ્વારા વાયુ મંડળની શુધ્ધિકરણ નારી જાગરણ, માનવમાં દેવત્વની સ્થાપના, ધરતી પર સ્વર્ગ અવતરણ તેમજ વિશ્ર્વ કલ્યાણ, સર્વ ધર્મ સમભાવ જેવા ઉદેશ સાથે તા.20 ગુરૂવારના રોજ સવારે 8થી 12 કંટોલીયા ગામે 24 ઘરોમાં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આ આયોજન રાખેલ છે. તો ગામ સમસ્તને લાભ લેવા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy