(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.28
જિલ્લા બેંકના એમ.ડી. અને નારી શકિત તરીકે અનુકંપા ધરાવતા ચંદુભાઈ નિરાધાર બાળાઓ અને વેદનાઓથી ઘેરાએલી મહિલાઓથી દ્રવી ઉઠતા હોય જેથી અમરેલી ખાતે આવેલ મહિલા વિકાસ ગૃહની બાળાઓની સંભાળ લેવાનું કામ એક પિતાની જેમ કરતા હતા. સંસ્થાની દિકરીઓમાં "પાલક પિતા” તરીકે અનેક દિકરીઓના ક્ધયાદાન પણ તેઓએ કર્યા હતા.
પ્રકૃતિ રક્ષક અને ઉત્સવ પ્રિય આત્મા એવા સ્વ. ચંદુભાઈએ રકતદાન પ્રવૃતિને પ્રોત્સાહન આપવા અને લોહીના અભાવે અકાળે કરમાતી માનવ જીંદગીને બચાવવાનું કામ કરવા માટે થઈ રકતદાન કેમ્પ, વિનામુલ્યે દવા, આરોગ્ય મેળા, એઈડ્સ અંગે જાગૃતિ, વિદ્યાર્થીઓના વિના મુલ્યે બ્લડ ગૃપીંગ કેમ્પનું આયોજન પણ કરતાં હતા.
આ ઉપરાંત જરૂરીયાતમંદોને વસ્ત્રદાન, તહેવારોમાં ગરીબ પરિવારોમાં મીઠાઈ-ફટાકડા- ફરસાણ-પતંગ-ચીકી-શેરડી વિગેરેનું વિતરણ કરવું. ડાયરો, પશુઓ માટે પાણીના અવેડા, લોકમેળાઓનું આયોજન, રાસ ગરબા અને શેરી નાટકોનું આયોજન કરી કલાકારોને પ્રોત્સાન આપવાનો ચંદુભાઈ સંઘાણીનો જાણે સેવામંત્ર બની ચુકયો હતો.
આવા સ્વ. ચંદુભાઈના આત્મમોક્ષાર્થે સુખાનથ મંદિર ચોક યુવક મંડળ અને ચંદુભાઈ મિત્ર મંડળના સંયુકત ઉપક્રમે શ્રીમદ્ ભાગવત સપ્તાનુ આયોજન આગામી તા.28 થી તા.4-5 સુધી રાત્રિના સમયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવેલ હોય, જ્ઞાનસત્રનો લાભ લેવા અખબારી યાદીમા જણાવાયેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy