રાજકોટ, તા.13
શ્રી વલ્લભકુલભૂષણ, વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયના આચાર્ય પીઠે આગામી તા.16 થી 22 સુધી સુરતના આંગણે વૃંદાવનધામ એન્થમ સર્કલ, વલથાણ, પુણા ગામ, કેનાલ રોડ, આઉટર ન્યુ રીંગ રોડ, સુરત ખાતે શ્રીમદ્ ભાગવતકથાનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. કથાનો સમય બપોરના 3 થી સાંજેના 7 સુધીનો રહેશે. કથાનું આયોજન શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ તથા વીવાયઆઇ સુરત દ્વારા કરાયું છે
પોથીયાત્રા
આગામી તા.16મીના સોમવારે બપોરે 2-30 કલાકે સ્વસ્તિક ટાવર પરિવારના પટાંગણ સરથાણા જકાતનાકા સુરતથી નીકળીને કથા સ્થળે વિરામ પામશે ત્યારબાદ કથાનો પ્રારંભ થશે. તા.22મી ડિસે.ના કથા વિરામ પામશે.
માંગલીક પ્રસંગો
તા.16ના સોમવારે પોથીયાત્રા કથા સ્થળે પહોંચ્યા બાદ ભાગવતકથાનો પ્રારંભ થશે. તા.17ના મંગળવારે કપિલ અવતાર, તા.18ના નૃસિંહ અવતાર, તા.19ના વામન અવતાર, રામજન્મ, કૃષ્ણ જન્મ, નંદ મહોત્સવ ઉજવાશે.
તા.20મીના શુક્રવારના કૃષ્ણબાળ તથા ગોવર્ધન લીલાના પ્રસંગો ભવ્યતાથી ઉજવાશે. તા.21મીના શનિવારે રૂક્ષ્મણી વિવાહ તથા તા.22મીના રવિવારે દ્વારકાલીલાના પ્રસંગની ઉજવણી સાથે કથા વિરામ પામશે.
ગિરિરાજજીના પાવન મનોરથ
કથા દરમ્યાન તા.16ના રંગમરસ મનોરથ, તા.17ના છાકલીલા, તા.18ના મોરકુટિર, તા.19ના નંદ ભવનમાં પલના મનોરથ, તા.20ના અન્નકુટ, તા.21ના વિવાહ ખેલ તથા તા.22મીના રવિવારે દીપદાન વગેરે યોજાશે.ઉપરોક્ત ભાગવતકથાનું કર્તવ્ય ચેનલ, ધર્મસંદેશ તથા વાલમ ચેનલ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. વિશેષ માહિતી માટે પાર્થ મેઘાણી-સુરત-97262 23334નો સંપર્ક કરવો. નંદલાલ રાદડીયા, નીતિનભાઇ રાદડીયા, પોપટભાઇ પાંચાણી વગેરેના માર્ગદર્શન હેઠળ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy