રાજકોટ, તા.24
રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી સ્વ.સતીશચંદ્ર ડી. અગરવાલની 11 મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તા.26 જાન્યુઆરીને રવિવારના રોજ સવારે 9:30 થી બપોરે 1:30 કલાક સુધી નાગર બોર્ડિંગ, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે તદ્પરાંત મર્હુમ સિદિકભાઈ માણેક અને મિયાણા સમાજ દ્વારા રવિવારે સવરે 9 થી 4:30 કલાક સુધી ઢેબર કોલોની, મદ્રેસાની બાજુમાં, રાજકોટ ખાતે રકતદાન કેમ્પ યોજાશે.
આ બંને કેમ્પમાં જયંત અગરવાલ, નિખિલ ઉચાટ, પંકિલ પધારીયા, વિમલ દોશી, પિયુષ ધાંધા, જીત અગરવાલ, કમલ પારેખ તેમજ શબ્બીરભાઈ સિદિકભાઈ માણેક, ઇમરાનભાઈ સિદિકભાઈ માણેક, આસીફભાઈ સિદિકભાઈ માણેક, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, રાજકોટ સિવિલ બ્લડ બેંકના એમ. ડી. પેથોલોજીસ્ટ ડોક્ટર્સની ટીમ માનદ સેવા આપશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy