(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.17
લખતર - દસાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દ્વારા નર્મદા નિગમને લગતા કેનાલના પ્રશ્નો હોય તો રજૂઆત કરવા જણાવ્યું હતું. આથી આવા પ્રશ્નો તાલુકાના ગામોમાંથી લઈ લોકો લખતર સરકારી ગેસ્ટ હાઉસમાં ઊમટી પડ્યા હતાં. અધિકારીઓને રૂબરૂ સૂચનાઓ આપી જલદીથી નિરાકરણ લાવવા ધારાસભ્ય જણાવ્યું હતું.
લખતર - દસાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા લખતર ગેસ્ટ હાઉસમાં લોકોને નર્મદા નિગમ અંગે પ્રશ્નો હોય તો લેખિતમાં લઈ આવવા અગાઉથી જાણ કરી હતી. જેમાં લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સાકર, ડેરવાળા, તાવી, ભાસ્કરપરા, તલસાણા તથા લખતર શહેરમાંથી પણ લોકોએ લેખિત રજૂઆતો કરી હતી.
આ કાર્યક્રમ સમયે જિલ્લા ભાજપના મહામંત્રી જયેશ ભૂત, તાલુકા ભાજપ પ્રમુખ રાજ વાઢેર, ઉપપ્રમુખ મહેશ મેણયા, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઇ પટેલ, એપીએમસી ચેરમેન કર્મદિપસિંહ ઝાલા, અંત્યોદય નિગમના ભૂતપૂર્વ ડાયરેકટર પ્રભુભાઈ મકવાણા વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યે નર્મદાની કેનાલનાં પ્રશ્નો અંગે અધિકારીઓને રૂબરૂ સૂચનાઓ આપી જલદીથી નિરાકરણ લાવવા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy