પાટડીથી સુરેન્દ્રનગર સુધી પદયાત્રાનું આયોજન, ખેડૂત હિતરક્ષક સમિતિની રચના કરાઈ

Saurashtra | Surendaranagar | 20 January, 2025 | 12:47 PM
સાંજ સમાચાર

વઢવાણ, તા. 20
પાટડી અને આસપાસના ગામોમાં ગણોતધારાની કલમ 192 અને 193ની નોંધને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ખેડૂતોના હિતોની રક્ષા માટે ખેડૂત હિતરક્ષક સમિતિની રચના કરવામાં આવી છે, જે આગામી દિવસોમાં પાટડીથી સુરેન્દ્રનગર સુધી પદયાત્રાનું આયોજન કરશે.

દસાડા તાલુકાના પાટડી, હિંમતપુરા, નારણપુરા, સુરજપુરા અને બામણવા સહિતના ગામોના ખેડૂતો વર્ષોથી આ નોંધને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને કોંગ્રેસ ડેલિગેટ વિક્રમ રબારીના નેતૃત્વમાં ખેડૂતોને જાગૃત કરવાની મુહિમ શરૂ કરવામાં આવી છે.

સમિતિ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. વિશેષ રૂપે, હિંમતપુરા અને નારણપુરાના રહીશો, જે નગરપાલિકા વિસ્તારમાં આવે છે,

તેમને  રહેણાંક જમીનના હક્કો અપાવવા માટે પણ આ લડતમાં સામેલ કરવામાં આવ્યાં છે. વિક્રમ રબારીએ જણાવ્યું કે, સત્તાધારી પક્ષ માત્ર વચનો આપી રહ્યો છે, પરંતુ કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યાં નથી. તેમણે દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરીને ખેડૂતોને ન્યાય અપાવવામાં આવશે. આ માટે સુરેન્દ્રનગર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના માધ્યમથી સરકાર સુધી ખેડૂતોની માગણીઓ પહોંચાડવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj