(અનિલ રાજા)પોરબંદર, તા.30
પોરબંદરના ભારવાડા ગામે એક શ્રમિક યુવાનને પાકમાં છટકાવ કરવાની ઝેરી દવાની અસર થઇ હતી જેને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોરબંદરના બરડા પંથકના ભારવાડા ગામે રહેતા એક ખેડૂતના ખેતરે એમ.પી.પંથકમાંથી મજૂરીકામ માટે એક પરિવાર આવ્યો હતો.આ પરિવારનો સાજણ સરદાર બામણિયા નામનો યુવાન ખેતરમાં વાવેતર કરેલ મગના પાકમાં જંતુનાશક દવાનો છટકાવ કરી રહ્યો હતો તે દરમ્યાન યુવાનને જંતુનાશક દવાની અસર થતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy