રાજકોટ તા.24
શહેરનાં ભગવતી પરામાં વિસ્તારમાં રહેતા 35 વર્ષિય યુવકને હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું હતું. બનાવ પગલે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ જય પ્રકાશ નગર શેરી નં- 16/17 ના ખૂણે ભગવતી પરામાં રહેતાં અખિલેશકુમાર રામચંદ્રકુંવર સોલંકી (ઉ.વ.35) નામનો યુવક આજે સવારનાં પોતાનાં ઘરે હતો ત્યારે હાર્ટ એટેક આવતાં બેભાન થઈ જતાં તાકિદે યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામનાર યુવક કારખાનામાં કામ કરતો હતો.તે અપરણિત હતો. અને તે બે ભાઈમાં નાનો હોવાનું મૃતકના પરિવારજને જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy