નવી દિલ્હી: આગામી વર્ષના પ્રારંભે યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી શાસક આમ આદમી પાર્ટી એકલા હાથે જ લડશે અને કોંગ્રેસ સાથે કોઈ જોડાણ નહી કરે. આમ આદમી પાર્ટીએ જો કે અગાઉ જ તેનું આ વલણ સ્પષ્ટ કર્યુ છે.
પરંતુ આજે સવારે ફરી મીડીયામાં આપ-કોંગ્રેસ વચ્ચે બેઠક સમજુતી થઈ હોવાના અહેવાલ બાદ ‘આપ’ના સંયોજક અને પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી હતી.
અગાઉ ન્યુઝ એજન્સી એ.એન.આઈ.ને ટાંકીને બન્ને પક્ષો વચ્ચે બેઠક સમજુતીને આખરી સ્વરૂપ આપી દેવાયુ હોવાના અહેવાલ આપ્યા હતા તથા એ પણ જણાવ્યું કે કોંગ્રેસ ઉપરાંત નાના પક્ષોને પણ તેમાં સમાવાશે તેવી જાહેરાત કરી હતી. એ.એન.આઈ.એ સૂત્રોના આધારે આ અહેવાલ આપ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy