અબ તક 6 ઠાર! હવે વધુ આઠ ત્રાસવાદીઓની કાશ્મીરમાં તલાશ

India | 16 May, 2025 | 05:10 PM
પોલીસ-સેનાની સંયુક્ત પત્રકાર પરિષદ: હથિયારો-વિસ્ફોટકોનો મોટો જથ્થો મળ્યો
સાંજ સમાચાર

નવી દિલ્હી: પહેલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં તિવ્ર બનાવાયેલા ત્રાસવાદ સામેની કાર્યવાહીમાં છેલ્લા ત્રણ દિવસમાં 6 ખુંખાર ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે પણ હજું આઠની તલાશ ચાલુ છે. આજે શ્રીનગરમાં એક પત્રકાર પરિષદ- કાશ્મીર ઝોનના આઈપીજી વી.કે.બીરડીએ એક સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ત્રાસવાદીઓના અડ્ડામાંથી મોટા પાયે હથિયાર-વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપી લેવાયા છે.

ઓપરેશન કેલર હેઠળ 48 કલાકમાં મહત્વપૂર્વ સફળતા મેળવી છે. શોપીયાના ત્રાલમાં પણ ઓપરેશન કરાયુ હતુ. આ પત્રકાર પરિષદને સંબોધતા જનરલ કમાન્ડીંગ ઈન ચીફ વિકટર ફોર્સના મેજર જનરલ ધનંજય જોષીએ કહ્યુ કે ગુપ્તચર બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરાયુ હતુ. અમોએ ત્રાસવાદીઓનો પીછો કરી તેને પટકાર્યા હતા. ત્રાસવાદીઓએ નાગરિક ક્ષેત્રમાં ઘુસીને ગ્રામીણ લોકોને ઢાલ બનાવવા પ્રયાસ કર્યો હતો પણ તેઓને ફાવવા દીધા ન હતા. ત્રાલમાં સરહદી ક્ષેત્રમાં ત્રાસવાદીઓને પડકારાયા હતા અને તેઓને ઠાર મરાયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj