રાજકોટ તા.18
સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કોર્ટ આરોપી આસીફ રજાક ચૌહાણને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસની વિગત અનુસાર તા.3/3/25ના રોજ ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદીએ પોતાની સગીરવયની દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપી અને ભોગ બનનારને શોધી કાઢયા હતા. આરોપીની ધરપકડ કરી ગુનામાં પોકસોની કલમનો ઉમેરો થયો હતો.
પોલીસે ચાર્જશીટ રજુ કરતા કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ફરિયાદ પક્ષે સાહેદોને તપાસવામાં આવેલ તેમજ ડોકયુમેન્ટરી પુરાવા રજુ કરવામાં આવેલ આ કામમાં અતિ મહત્વના ગણાતા ફરિયાદી તથા સરકારી સાહેદોએ જુબાની આપેલ પરંતુ આરોપીના વકીલે આરોપીના બચાવમાં તપાસતા હકીકત રેકોર્ડ ઉપર આવેલ તથા ઘણો બધો વિરોધાભાસ રહેલ હોય જેથી ફરિયાદ પક્ષ કેસને પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય તથા આરોપી તરફે રોકાયેલ વકીલે કરેલ રજુઆતો દલીલો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓ ધ્યાનમાં લઈ આ કામના આરોપી આસીફ રજાકભાઈ ચૌહાણને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામા આવેલ હતો. આ કેસમાં આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ ગીરીશ જે.વારગીયા તથા સુરેશ જે.વારંગીયા રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy