◙ વિદેશી સંસ્થાઓની ત્રણ દિવસમાં 14650 કરોડની નેટ ખરીદીથી પલ્ટાયો મૂડ: ટેરિફ રાહત,વ્યાજદર ઘટાડા નોર્મલ ચોમાસાની આગાહીથી સારી અસર
રાજકોટ,તા.18
અમેરિકાનાં ટેરિફ-ટ્રેડવોરને પગલે દુનિયાભરનાં શેરબજારોમાં મોટી ઉથલપાથલ મચેલી છે. રેસિપ્રોકલ ટેરિફમાં 90 દિવસની મુદત અપાતા વૈશ્વિક શેરબજારોમાં સારી રિકવરી આવી ગઈ છે અને તેમાં ભારત મેદાન મારી ગયુ છે. ટેરિફના ગભરાટમાં કડાકો સર્જાયા બાદ સંપૂર્ણ રિકવરી મેળવી લેનાર ભારત વિશ્વનું પ્રથમ અને કદાચ એકમાત્ર શેરબજાર છે.
’છેલ્લા ચાર જ દિવસમાં ઈન્વેસ્ટરોની સંપતિમાં અંદાજીત 25 લાખ કરોડની વૃધ્ધિ થઈ છે. છેલ્લા પાંચ વર્ષોની સૌથી મોટી અઠવાડીક તેજી થઈ છે. આ તેજી આગળ ધપશે કે કેમ તે વિશે જાણકારોનાં ભિન્ન મત રહ્યા છે.
શેરબજાર માટે ચાલુ સપ્તાહમાં માત્ર ત્રણ જ વિકાસનાં ટ્રેડીંગ સેશન હતા.ગત સોમવારે આંબેડકર જયંતિની રજા હતી અને આજે ગુડફ્રાઈડે નિમિતે બંધ હતું. મંગળ, બુધ અને ગુરૂ એમ ત્રણ દિવસ કામકાજ થયા હતા. ત્રણેય દિવસમાં જબરજસ્ત તેજી જોવા મળી હતી.
આ પૂર્વે ગત શુક્ર સપ્તાહના અંતિમ દિવસે પણ જોરદાર ઉછાળો નોંધાયો હતો. ચાર દિવસનાં ઉછાળાને ગણતરીમાં લેવામાં આવે તો ઈન્વેસ્ટરોની સંપતિમાં અંદાજીત 25 લાખ કરોડનો વધારો થયો છે.
જયારે ચાલુ સપ્તાહના ત્રણ ટ્રેડીંગ સેશનમાં સંપતિમાં 18 લાખ કરોડનો વધારો,થયો છે. આ દરમ્યાન સેન્સેકસમાં 3395 પોઈન્ટ તથા નિફટીમાં 1020 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
સેન્સેકસ તથા નિફટી ત્રણ દિવસના ટુંકા સપ્તાહમાં સરેરાશ 4.5 ટકાનો ઉછાળો સુચવતા હતા. જે ફેબ્રુઆરી 2021 પછીનો સૌથી મોટો અઠવાડીક ઉછાળો બન્યો હતો..
શેરબજાર છેલ્લા દિવસોમાં તેજીના અસલી રંગમાં આવી ગયુ છે. તે પાછળ અનેકવિધ કારણો જવાબદાર રહ્યા છે.અમેરિકામાં ગ્રીન સિવાયના દેશો પર રેસિપ્રોકલ ટેરિફમાં 90 દિવસની મુદત જાહેર કરતા આ દરમ્યાન ટ્રેડ ડીલ શકય બની જવાના આશાવાદથી સૌથી મોટી રાહત થઈ જ હતી.
આ સિવાય વ્યાજદરમાં ઘટાડો, મોંઘવારીમાં રાહત, ચોમાસુ નોર્મલથી પણ વધુ સારૂ રહેવાની આગાહી જેવા કારણો પણ ટેકારૂપ બન્યા હતા.ચોમાસું સારૂ થવાના સંજોગોમાં ભારતીય આર્થિક વિકાસની કુચ યથાવત રહી શકે છે.
આ સિવાયનું એક મોટુ કારણ વિદેશી સંસ્થાઓની લેવાલીનું હતું કેટલાંક મહિનાઓથી જંગી વેચાણ કરી રહેલી વિદેશી સંસ્થાઓએ સળંગ ત્રણ દિવસમાં 14000 કરોડથી વધુની ખરીદી કરતા સારી અસર હતી.
શેરબજારની વર્તમાન તેજી જળવાશે કે કેમ તે વિશે શેરબ્રોકરોનાં ભિન્ન સુર છે. એક વર્ગ એવુ માને છે કે તેજી રહે તો પણ વન-વે નહિં હોય અને વૈશ્વિક ઘટનાક્રમો આધારીત ઉપથપાથલ ચાલી રહે તેમ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy