મુંબઈ,તા.8
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના અભિનય અને સ્પષ્ટવક્તા અભિપ્રાયો માટે જાણીતા છે, પરંતુ તેમના મૌનથી સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ભારતીય સેનાના ’ઓપરેશન સિંદૂર’ને લઈને દેશભરમાં ઉત્સાહ અને ચર્ચાનો માહોલ છે. સાથે જ આ મુદ્દે બિગ બી તરફથી કોઇ નિવેદન ન મળતાં ચાહકો ગુસ્સે થયાં છે. કેટલાક ચાહકો રેખા સાથે જોડીને તેના મૌનને ટોણો મારવાનું શરૂ કરી દીધું છે.
ઓપરેશન સિંદૂર પર બિગ બીનું મૌન
7 મે, 2025ની મોડી રાત્રે, ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપતા પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર ચોકસાઇપૂર્વકના હુમલા કર્યા હતા. આ ઓપરેશનને ’ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું.
આ ઓપરેશનની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. અનુપમ ખેર, કંગના રનૌત, રિતેશ દેશમુખ અને નિમરત કૌર સહિત બોલિવૂડના ડઝનબંધ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર આર્મીના વખાણ કર્યા હતા અને ’જય હિન્દ’ના નારા લગાવ્યા હતા.
જો કે અમિતાભ બચ્ચને આ પ્રસંગે એક ગુપ્ત પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં માત્ર "ટી 5372" જ લખવામાં આવ્યું હતું. આ પોસ્ટમાં ન તો ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ હતો કે ન તો કોઈ સ્પષ્ટ સંદેશ.
આ પહેલા પણ પહેલગામ હુમલા સમયે અમિતાભે આવી જ રહસ્યમયી પોસ્ટ કરી હતી, જેમાં માત્ર પોસ્ટ નંબર જ હતો. તેનું મૌન જોઇને યૂઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
મૌન પર ગુસ્સે થયેલ વપરાશકર્તાઓ
અમિતાભના મૌન પર યુઝર્સે જાતજાતની કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે લખ્યું, "આ સાયલન્ટ ડ્રીલ ક્યાં સુધી ચાલશે." બીજાએ કટાક્ષમાં કહ્યું, "શું ભાઈ... કંઈક તો લખો કે ખાલી નંબરો આપશો. ઓપરેશન સિંદૂર માટે ભારતીય સેનાને અભિનંદન આપો. વિજય દીનાનાથ ચૌહાણે સિંદૂરની લાજ બચાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy