પ્રયાગરાજ ,તા.20
13 જાન્યુઆરીના રોજ વિશ્વનો સૌથી મોટો મેળો માટે મહાકુંભ શરૂ થઈ ગયો છે, ત્યારે વસ્તીની ગીચતા અને અવરજવર પર નજર રાખવા માટે મહાકુંભમાં એઆઇ સિસ્ટમ લગાવવામાં આવી છે. જે લોકોની સંખ્યા અને જમીનનું મૂલ્યાંકન દર્શાવે છે. આ એઆઇ ડેટા પરથી જાણવા મળ્યું કે નિયમિત દિવસે અંદાજે 10-15 લાખ લોકો મહાકુંભની મુલાકાત લે છે, અન્ય 50 થી 60 લાખ લોકો મહાકુંભ નગરમાં રહેવાનો અંદાજ છે, જેનાથી કોઈપણ દિવસે મેળામાં હાજર લોકોની કુલ સંખ્યા 65-70 લાખ સુધી રહેવાનો અંદાજ છે.
13 જાન્યુઆરીના રોજ મેળાના પ્રથમ દિવસે લગભગ 1.65 કરોડ ભક્તો ત્રિવેણી સંગમ અને નદી કિનારે આવેલાં ઘાટો પર એકત્ર થયાં હતાં. 14 જાન્યુઆરીએ મુલાકાતીઓની સંખ્યા વધીને 3.5 કરોડ થઈ હતી. હવે, વહીવટીતંત્ર 29 જાન્યુઆરીની તૈયારી કરી રહ્યું છે જ્યારે લગભગ 6 કરોડ લોકો મૌની અમાવસ્યા પર શાહી સ્નાનમાં ભાગ લે તેવી અપેક્ષા છે.
મહાકુંભ નગરમાં લગભગ 40 કરોડ લોકો ઉમટશે તેવી અપેક્ષા છે અને મોનિટરિંગ કવાયતના મુખ્ય ભાગમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ છે જ્યાં સેંકડો પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને નિષ્ણાતો તેમની સ્ક્રીન પરથી દરેક ચેતવણીઓ પર નજર રાખી રહ્યાં છે. તેઓ નાસભાગને ટાળવા, બેરિકેડ ભંગને રોકવા, ટ્રાફિક વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા અને ગુનાઓ પર પણ અંકુશ લગાવવા માટે સતત નજર રાખી રહ્યાં છે.
એઆઇ ડેટા ચાર્ટ પ્રતિબિંબિત કરે છે કે કેવી રીતે એઆઇ વસ્તીની ગીચતા અને એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટથી ઘાટમાં પ્રવેશતા અને બહાર જતાં લોકો પર રીયલ ટાઈમ મોનીટરીંગ કરે છે.
પોલીસ અધિક્ષક અમિત કુમારે જણાવ્યું હતું કે કુંભ વિસ્તાર અને શહેરમાં નિર્ણાયક ડેટા કેપ્ચર કરતાં હજારો કેમેરા સાથે, એઆઇએ વિસ્તાર અને રેલ્વેની માહિતી ઉપરાંત માર્ગ પરિવહન વિભાગની માહિતી પણ મેળવે છે
તેમણે શેર કર્યું કે માહિતીનો ઉપયોગ કરીને, પોલીસ ડાઇવર્ઝન પર નિર્ણય લેવા અંગે ચેતવણીઓ મોકલવામાં અને ભીડને રોકવા માટે સમયસર કાર્ય કરવા સક્ષમ છે. તેમણે કહ્યું કે એઆઇ તેમને માત્ર મુલાકાતીઓના અંદાજને જ નહીં પરંતુ ટ્રાફિક મેનેજમેન્ટ અને ગુનાઓને રોકવામાં પણ મદદ કરે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy