(અનિલ રાજા)પોરબંદર, તા.30
પોરબંદર ની ભાવસિંહજી સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના રીનોવેશન કામ ચાલતું હોવા છતાં પણ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે જેને લઈને દર્દીઓને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે.
આ બાબતે સામાજિક આગેવાન દ્વારા રજુઆત કરાઈ હતી પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં અનેક વોર્ડ આવેલ છે. જેમાં હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ આવેલ છે. આ વોર્ડનું હાલ સમારકામ ની કામગીરી કરી રહી છે. પરંતુ આ કામગીરી ચાલુ હોવા છતાં પણ આ વોર્ડમાં ગંભીર પ્રકારના દર્દીઓને દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી રહી છે જેને લઈને દર્દીઓને ઇન્ફેક્શન લાગવાની ભય રહે છે.
તેમજ રિનિવેશનને લઈને દર્દીઓને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઇ પાડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને રજુઆત કરવામાં આવી હતી.એક તરફ હોસ્પિટલના તંત્ર ઇન્ફેક્શન અટકાવવા માટે ઇમરજન્સી વોર્ડમાં દર્દી અને તેમના પરિવારજનોને સૂઝ કે ચપલ પહેરી અંદર જવાની મનાઈ કરી રહ્યા છે તો બીજી તરફ રિનિવેશન લઈને ધૂળ અને સિમેન્ટ કામગીરી વચ્ચે દર્દીઓની સારવાર ચાલી રહી છે.જેને લઇ આશ્ચર્ય સર્જાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy