રાજકોટ. તા.19
ખોડીયારનગરમાં કરિયાણાની દુકાન ધરાવતી યુવતીને ધંધાનો અને નવું મકાન ખરીદ્યાનો ખાર રાખી આરઝુ પાન વાળો ઈલિયાસ સહિત બે શખ્સો બદનામ કરવાં માટે મરણીયો બન્યાં હતાં. જે મામલે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગોંડલ રોડ પર આવેલ ગીતાનગરમાં રહેતાં મનીષાબેન પ્રવિણભાઈ ખખ્ખર (ઉ.વ.27) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઈલિયાસ આરઝૂ પાનવાળો, સુલતાન અને અજાણ્યાં શખ્સોના નામ આપતાં માલવીયાનગર પોલીસે બીએનએસ એક્ટ 351(3), 78(1) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરકામ તેમજ ખોડીયારનગર શે.નં. 1 માં જલારામ પ્રોવિઝન સ્ટોર્સ અને પ્યુરો ગેસના બાટલાનુ વેચાણ છેલ્લા છ એક વર્ષથી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેઓની સામે આરઝુ પાન નામની દુકાનના માલીક ઈલ્યાસભાઈ પણ વેપાર કરે છે.
ગઈ તા.01/01/2025 ના તેણી સવારના તેમની દુકાને વેપાર કરતી હતી ત્યારે એક અજાણી વ્યકિત ઈલ્યાસની દુકાનેથી તેના મોબાઈલમા તેણીનો વિડીયો ઉતારવા લાગેલ હતો. જેથી તેને બોલાવી કહેલ કે, તુ મારો વિડીયો શા માટે ઉતારે છે. જેથી અજાણી વ્યકિતએ કહેલ કે, આરઝુ પાનવાળાએ મને કહેલ કે, આ જલારામ પ્રોવિઝન સ્ટોર્સેવાળા બહેનનો વિડીયો ઉતાર અને આ વિડીયો ફેસબુક તથા ઈન્સટાગ્રામ ઉપર મુકી દે તેમ વાત કરેલ હતી.
ત્યારબાદ આશરે અઠવાડીયા બાદ પ્યુરો ગેસના બાટલાની ગાડી દુકાને ગેસના બાટલા ઉતારવા આવેલ ત્યારે આરઝુ પાનવાળો ઈલ્યાસ તથા સુલતાન ગેસના બાટલાવાળી ગાડીના ડ્રાઈવરને ધમકી આપતો હોય જેથી તેને કહેતા ઈલ્યાસ તથા સુલતાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. તેમજ ઈલ્યાસની દુકાન સામે જ હોય જેથી તે આખો દિવાસ સામે જોયા કરતો હોય છે અને તેણી બહાર કોઈ વસ્તુ લેવા માટે જાવ ત્યારે આ ઈલ્યાસ અવાર નવાર પીછો કરે છે.
વધુમાં બનાવના કારણ અંગે યુવતીએ જણાવ્યું હતું કે, હાલમા જે જગ્યાએ મારી દુકાન છે તેની થોડે આગળ દોઢેક વર્ષે 5હેલા મકાન લીધેલ હોય અને જે ઈલ્યાસને ગમતુ ન હોય અને ઈલ્યાસ કરતા યુવતીની કરીયાણાની દુકાન સારી ચાલતી હોય જેથી ધંધાનો ખાર રાખી આરોપીઓ દોઢેક વર્ષેથી હેરાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર પીછો કરે છે. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy