(વસંત સોની)
પાલીતાણા તા.29
પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં તળેટી રોડ ઉપર આવેલ હિંમત વિહાર જૈન ધર્મશાળા ખાતે અષ્ટાન્હિકા સંયમ સુવર્ણ મહા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. મહોત્સવ પ્રારંભ તા.1 મેથી શરૂ થશે અને તા.8 મેના મહોત્સવની પૂર્ણાહૂતિ થશે.
વિમલ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી શાંતિ વિમલ સૂરીશ્વરજી મ.સા.ની 42મી સ્વર્ગારોહણ તીથી તેમજ વર્તમાન વિમલ ગચ્છાધિપતિ શ્રી પ્રદ્યુમ્ન વિમલ સૂરીશ્વરજી (ભાઈ) મ.સા.ના 42માં ગચ્છાધિપતિ પદ તેમજ આચાર્ય પદના 29માં વર્ષ તેમજ સંયમ જીવનના 50 વર્ષના પૂર્ણાહુતિ તેમજ શ્રી શાંતિનાથ પ્રભુ જિનાલયની સાતમી ધ્વજારોહણ નિમિતે અષ્ટાન્હિકા સંયમ સૂવર્ણ મહા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે જુદા જુદા ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું આયોજન શ્રી હિંમતવિહાર જૈન ધર્મશાળા ટ્રસ્ટ અને સંયમ સૂવર્ણ મહા મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy