નવી દિલ્હી તા.17
પાટનગર નવી દિલ્હીમાં ભારે બહુમતી મેળવ્યા બાદ પણ ભાજપની સરકાર રચવામાં ફરી એક વખત શેડયુલ ફર્યુ છે અને હવે તા.19ના રોજ એટલે કે બુધવારે ભારતીય જનતા પક્ષના નવા ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક મળશે અને તેમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે તથા તા.20ના રોજ રામલીલા મેદાનમાં શપથવિધિ યોજાશે.
આજે ભાજપના ચુંટાયેલા ધારાસભ્યની બેઠક મળવાની હતી પરંતુ તે હવે બુધવાર પર પાછી ઠેલવામાં આવી છે અને શપથવિધિ તા.20ના રોજ યોજાશે. ભાજપે મુખ્યમંત્રી પસંદ કરવા ધારાસભ્યોની બેઠકમાં રાષ્ટ્રીય નિરીક્ષક તરીકે મહામંત્રી વિનોદ તાવડે અને તરૂણ ચુગ ને નિયુક્ત કર્યા છે. તા.20ની શપથવિધિ ભવ્ય બનાવવા નિર્ણય લેવાયો છે.
તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેની પુરી કેબીનેટ ઉપરાંત ભાજપ શાસનના તમામ રાજયોના મુખ્યમંત્રી, ટોચના ઉદ્યોગપતિઓ અને સેલીબ્રીટીઓ હાજર રહેશે અને દિલ્હીના 12થી16 હજાર લોકોને હાજર રખાશે. ઉપરાંત અનેક ધર્મના સંતો પણ હાજર રહેશે.
જો કે નવા મુખ્યમંત્રીની પસંદગીમાં ભાજપે હજુ કોઈ સંકેત આપ્યો નથી પણ પક્ષમાં સ્પર્ધા તીવ્ર હોવાનું બહાર આવ્યુ છે અને પાંચ નામો ઉપરાંત એક થી બે મહિલાના નામ પણ ચર્ચામાં છે.
રામલીલા મેદાનમાં ભાજપે તા.20ના સાંજના 4.30 કલાકે શપથવિધિનું મુર્હુત નકકી કર્યુ છે અને તેમાં મુખ્ય સ્ટેજ ઉપરાંત અન્ય બે સ્ટેજ પણ બાંધવામાં આવશે અને આ રીતે સમગ્ર રામલીલા મેદાનમાં શપથવિધિ નિહાળી શકાય તે માટે ખાસ ટીવી સેટ પણ ગોઠવાશે અને ભાજપે તેમાં અગાઉથી જ વડાપ્રધાનના પોષ્ટર અને બેનર રામલીલા મેદાનમાં લગાવવાનું શરૂ કર્યુ છે.
આજે સાંજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક: સીએમ નામ નિશ્ચિત થશે
નવી દિલ્હી તા.17
દિલ્હીમાં તા.19ના મળનારી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રીનું નામ અગાઉથી આપી દેવાશે અને કેન્દ્રીય નિરીક્ષકો તે જાહેર કરશે. આ નામ નિશ્ચિત કરવા આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે અને તેમાં મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy