જામનગર તા.28: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે પિતાએ બાઇક લઇ જવાની ના પાડતાં મનમાં લાગી આવતા 21 વર્ષિય યુવાન પુત્રએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. યુવાન પુત્રએ આપઘાત કરી લેતાં પરિવારમાં કરૂણ કલ્પાંત ફેલાયો છે. બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જોડિયા પોલીસ મથકેથી આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે રહેતા ગુલાબભાઇ દયાળજીભાઇ સોલંકી (ઉ.વ.21) નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.
ફરિયાદમાં જણાવાયા અનુસાર ગુલાબભાઇને બે દિવસ અગાઉ એટલે કે, ગત્ તા.26ના રોજ બહાર જવું હોય અને પિતાએ બાઇક લઇ જવાની ના પડતાં ગુલાબભાઇને મનમાં લાગી આવ્યું હતું અને તેણે ઝેરી દવા પી લીધી હતી.
જેથી તેને તાત્કાલિક સારવાર માટે જોડિયા ખાતેની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત્ત જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ બનાવ અંગે મૃત્તક યુવાનના દયાળજીભાઇ કાકુભાઇ સોલંકીએ પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસ મથકનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. હોસ્પિટલ પહોંચી પોલીસે મૃત્તદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી કરાવી આગળની તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy