(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસ પાટણ, તા.28
સોમનાથ ખાતે ત્રિવેણી સંગમની બાજુમાં ગૌલોકધામ ખાતે કથાનું આયોજન કરવામાં આવેલ છે તેના માટે તડામાર તૈયારીઓ શરૂ થયેલ છે પ્રભાસપાટણ સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ ની બાજુમાં ગૌલોકધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ આયોજન કરવામાં આવેલ છે આ કથા તા 2,5,25 ને શુક્રવારે પ્રારંભ થશે અને કથા વિરામ તા 8,5,25 ને ગુરૂવારે પુર્ણ થશે કથા નો સમય સવારે 9,30 થી બપોર ના 1 કલાક સુધી રહેશે કથાકાર રમેશભાઈ ઓઝા કથા નુ રશપાન કરાવશે
કથાના પાવન પ્રસંગો મા તા,2,5,25 ને શુક્રવાર ના સવારે 8 કલાકે પોથીયાત્રા નીકળશે,દિપ પ્રાગટય લધુમહંત ભરત ડાડા અને સંતો મહંતો ના હસ્તે,તા 5,5,25 ને સોમવારે કૃષ્ણ જન્મોત્સવ,તા 6,5,25 ને મંગળવારે ગોવર્ધન પુંજા,તા 7,5,25 ને બુધવારે રૂક્ષ્મણી વિવાહ સંતવાણી તા 3,5,25 ને શનિવારે રાત્રે 9 કલાકે સંતવાણી ના કલાકારો શૈલેષ મારાજ,ગોપાલ સાધુ,લાખણશીભાઈ ગઢવી તેમજ તા 6,5,25 ને મંગળવારે રાત્રે 9 કલાકે ડાંડિયા રાસ રાખવામાં આવેલ છે.
ડાંડિયા રાશ ના કલાકારો પ્રિતમ શુક્લા અને ધ્વની પારીખ કથાના મુખ્ય યજમાન સ્વ પુરાબેન જેસંગભાઈ નોધાભાઈ વિરડા આહિર પરીવાર, નિમંત્રણ શ્રી ભાગવત જ્ઞાનયજ્ઞ સમિતિ સોમનાથ, કથા સ્થળ ત્રિવેણી સંગમ ગીતા મંદિર રોડ સોમનાથ કથાના યજમાન ગાંધીધામ કચ્છના ગળપાદર ગામ ના ભચાભાઈ જેસંગભાઈ વિરડા એ પ્રત્રકારો ને માહિતી આપતા જણાવ્યું કે અમો સોમનાથના સાનિધ્યમાં ભાગવત કથાનુ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે અમારી સમિતિમા 15 થી 17 જણા છે અને અમોને અહિંથી સ્થાનિક લોકો નો ખુબજ સહકાર મળેલ છે.
અને અમો આ વિસ્તારના દરેક ગામમાં આમંત્રણ પાઠવીએ છીએ અને દરેક લોકો આ કથા સાંભળવા આવે તેવી વિનંતી કરવામાં આવેલ છે તેવોએ વધુ મા જણાવ્યું કે કથા દરમ્યાન જે કાંઈ ફાળો નોધાશે તે તમામ વેરાવળ તાલુકાનાં જે ગૌશાળા ચાલતી હશે તેમા દાન આપી દેવામાં આવશે અમારો હેતુ લોક કલ્યાણ નો અને વધુમા વધુ લોકો કથા મા ભાંગ લે કથા નુ શ્રવણ કરે અને પ્રસાદી નો લાભ લે આ તકે જીલ્લા પંચાયત ના સદસ્ય વિક્રમ ભાઈ પટાટ દ્વારા જણાવવામાં આવેલ કે આ કથામાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવેલ છે જેથી ગમે તેટલા લોકો આવે તો જમવાની અને કથા સાંભળવા અગવડતા ન પડે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy