કોલકત્તા : IPL 2025ની 44મી મેચ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. 15 એપ્રિલે સીઝનની પહેલી ટક્કરમાં પંજાબે ડિફેન્ડિંગ ચેમ્પિયન કલકત્તા સામે 111 રનનો લોએસ્ટ સ્કોર ડિફેન્ડ કરીને ઇતિહાસ રચ્યો હતો.
છેલ્લી બન્ને મેચ હારનાર કલકત્તા પર હાલ હેટ-ટ્રિક હારનો ખતરો છે. જ્યારે પંજાબની ટીમ કલકત્તા સામેની જીતની હેટ-ટ્રિક કરીને ફરી વિજયરથ પર સવાર થવાનો પ્રયાસ કરશે. તેમને પોતાની છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુ સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડયો હતો.
પંજાબનો કેપ્ટન શ્રેયસ ઐયર 2022થી 2024 દરમ્યાન કલકત્તાની ટીમનો કેપ્ટન હતો. તેની આગેવાનીમાં આ ટીમ 2024માં ચેમ્પિયન બની હતી. આજે તે પોતાના જૂના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં પોતાની જૂની ફેન્ચાઇઝી સામે પહેલી વાર ટકરાશે. ન્યુ ચંડીગઢમાં થયેલી પહેલી ટક્કરમાં તે બે બોલ રમીનેએક પણ રન બનાવ્યા વગર કેચઆઉટ થયો હતો.
કે. એલ. રાહુલે એકાના સ્ટેડિયમમાં જેમ પોતાની જૂની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે મેચવિનિંગ ઇનિંગ્સ રમી એવી જ ધમાકેદાર ઇનિંગ્સ શ્રેયસ ઐયર આ ટીમ સામે રમશે એવી આશા ક્રિકેટફેન્સ રાખી રહ્યા છે.
ઈડન ગાર્ડન્સમાં બન્ને ટીમ વચ્ચે 13 ટક્કર થઈ છે જેમાંથી નવ મેચ કલકત્તાએ અને ચાર મેચ પંજાબે જીતી છે. વર્તમાન સીઝનમાં કલકત્તા પોતાના હોમ ગ્રાઉન્ડ પર સારું પ્રદર્શન કરી શક્યું નથી, એ ઈડન ગાર્ડન્સમાં ચારમાંથી માત્ર એક મેચ જીત્યું છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
કુલ મેચ 34
KKR ની જીત 21
PBKS ની જીત 13
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy