કરાચી,તા.17
પાકિસ્તાન યજમાનપદ હેઠળ રમાવાની ચેમ્પીયન ટ્રોફી માટે એક તરફ ટીમ ઈન્ડિયાએ તેની જર્સી પર આઈસીસીના નિયમને સન્માન આપીને પાકિસ્તાન તેવો શબ્દ લગાવ્યો છે પરંતુ કરાચીમાં આ ચેમ્પીયન ટ્રોફીના પ્રથમ મેચ માટે જે સ્ટેડીયમ પર ટ્રોફીમાં ભાગ લઈ રહેલા દેશોના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવી રહ્યા છે.
તેમાં ભારતનો જ રાષ્ટ્રધ્વજ નહી ફરકાવાતા વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કરાચી સ્ટેડીયમમાં જે રીતે ભારતનો રાષ્ટ્રધ્વજ ગાયબ કરી દેવાયો તે જ રીતે લાહોરના ગદાફી સ્ટેડીયમમાં પણ ત્રિરંગો ફરકાવાયો નથી.
ભારતે તેના તમામ મેચ પાકિસ્તાનમાં રમવાનો ઈન્કાર કરી દેતા ટીમ ઈન્ડિયાના મેચ દુબઈ ખસેડાયા છે અને પાકિસ્તાનને તેનાથી મોટુ નાણાંકીય નુકસાન પણ જશે તે નિશ્ર્ચિત છે તે સમયે જ આ વિવાદે હવે ભારત કઈ રીતે જવાબ આપે છે તે જોવુ રસપ્રદ બની જશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy