રાજકોટ,તા.28
આજે સૌરાષ્ટ્રમાં અનેક નદીઓમાં બનાવેલા ચેક ડેમો પાંચ પાંચ વર્ષથી તૂટેલ હાલતમાં હોય તેમને રીપેર કરવાની હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી આ બાબતે ગઢાળા પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે જણાવેલ છે ગઢાળા પાસે આવેલ મોજ નદી માંચેક ડેમ આવેલ હતું .
આ ચેક ડેમ છેલ્લા ત્રણ વર્ષથી તૂટી ગયેલ હોય જેને કારણે દર વર્ષે પાણી રોકાતું નથી આચેક ડેમ નો લાભ મોજીરા ખાખી જાડિયા જેવા ગામોના ખેડૂતોને પાણીનો લાભ મળશે પરંતુ અત્યારે રીપેર ન થવાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી પણ એવી નદીમાં વહી જતું હોય ખેડૂતોએ અનેક વખત સત્તાવાળાઓને રજૂઆત કરેલ પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી વધુમાં નારણભાઈ આહિરે જણાવેલ છે.
આજે સિંધુ નદીનું પાણી રોકવાની વાત કરે છે આ પાણી રોકવું હોય ઓછામાં ઓછું 20 વર્ષ જેવો સમય લાગે ત્યારે આ પાણી રોકી શકાય આજે સામાન્ય સેક ડેમો તૂટેલ છે તે રિપેર કરો તો પણ ઘણું બધું સિંધુ નદીનું પાણી રોકવું એ પ્રજાને મૂર્ખ બનાવવાની વાત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy