નવી દિલ્હી: લોકસભા ચૂંટણી સમયે વિવાદી વિધાનો કરી કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જનાર સામ પિત્રોડાએ એક મુલાકાતમાં ચીન આપણું (ભારતનું) દુશ્મન નથી અને તેના તરફથી કોઈ ખતરો નથી તેવું વિધાન કરતા જ ફરી એક વખત આ મુદે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ખાસ સલાહકાર ગણાતા અને ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન શ્રી સામ પિત્રોડાએ એવું વિધાન કર્યુ કે ભારતે ચીનને દુશ્મન માનવાનું બંધ કરી દેવું જોઈએ.
ચીનનો ખતરો બનાવી ચઢાવીને રજુ થાય છે પણ વાસ્તવમાં ભારતને ચીનથી કોઈ ખતરો નથી. તેઓએ ચીનને દુશ્મન ગણાવ્યું એ અમેરિકાની ભાષા હોવાનું જણાવ્યું હતું.
પણ મારૂ માનવું છે કે, તમામ દેશોએ હવે સહયોગ કરવાનો અમલ આવી ગયો છે. ટકરાવની જરૂર નથી. સામ પિત્રોડાના આ વિધાનો પર ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે પિત્રોડાના વિધાન એ કોંગ્રેસના ચીન પ્રત્યેના આકર્ષણનું પરિણામ છે અને આ 2008થી છે.
શ્રી પિત્રોડાએ ચુંટણી સમયે જ વારસા કર લાદવાની તરફેણ કરી હતી અને અમેરિકાએ તે પ્રકારે ટેક્ષ હોવાનું જણાવ્યુ હતું. તેઓ રામમંદિર પણ વિવાદી ટીપ્પણી કરી ચૂકયા છે અને 1984ના શિખ વિષય રમખાણમાં થયા તો થયા તેવું વિધાન કર્યુ હતુ અને બાલાકોટ એરસ્ટ્રાઈક પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy