રાજકોટ, તા.20
વકીલ પર હુમલો કરનારની સજા કાયમ રાખી રૂ.30 હજાર સારવાર ખર્ચનું વળતર ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે. વર્ષ 1998માં રાજનગર સોસાયટીમાં આવેલ વકીલ ઓફીસમાં હુમલો થયાનો બનાવ બન્યો હતો.
કેસની સમગ્ર વિગત એવી છે કે, તા.15-9-98 ના રોજ રાત્રીના 9 વાગ્યે રાજકોટના સિનિયર એડવોકેટ વજુભાઈ ડી. થોરીઆ તેમની રાજનગર સોસાયટીમાં આવેલ ઓફીસમાં કામ કરતા હતા ત્યારે તેઓની બાજુમાં રહેતા પાડોશી 1) વકતુબેન કાથળભાઈ રજપુત ર) કનુભાઈ કાથળભાઈ રજપુત 3) ઇન્દુબેન કનુભાઈ રજપુત (રહે.રાજનગર) અને 4) રાજેશ મનુભાઈ રજપુત (રહે.વવો ફેકટરી. ભકિત નગર- ઉદ્યોગનગર, જી.આઈ.ડી.સી. શેડનં.23-સી) એમ ચારેય આરોપીઓએ એક સંપ કરી લોખંડના પાઈપ અને લાકડી વડે ઓફિસમાં પ્રવેશી વકીલ ઉપર હુમલો કરેલો. જેમાં વકીલને માથામાં તેમજ હાથ પગમાં ઇજા થઇ હતી. તેઓને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીઓને 2 વર્ષની સજાનો હુકમ થયો હતો. આરોપી વક્તુબેનનું અવસાન થતા કોર્ટે તેને એબેટ કરેલ. જ્યારે અન્ય ત્રણ આરોપીઓએ ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ કરેલ અને તેઓ નિર્દોષ હોય છોડી મુકવા જોઈએ તે પ્રમાણેની અપીલ કરેલ. આ અપીલ ચાલી જતા બંને પક્ષે કરેલી દલીલો બાદ ફરિયાદ પક્ષની દલીલો માન્ય રાખી એડી. ડીસ્ટ્રીક્ટ ન્યાયાધીશ રાણાએ નામંજૂર કરતો હુકમ કરી કોર્ટમાં રજા ભોગવવા હાજર થવા હુકમ કરેલ હતો. આ દરમ્યાન ફરીયાદીએ ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં અપીલ કરેલ કે, તેઓને થયેલ ઈજા સંબધેનું ખર્ચ જે વળતર રૂપે અપાવવા દાદ માગેલ. જેમાં કોર્ટે હુકમ કરેલ કે આરોપીઓએ ફરીયાદી વજુભાઈ ડી.થોરીઆને ઇજાની સારવાર સબંધનું ખર્ચ વળતર રૂ.30,000 ચુકવવા આદેશ કર્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy