મુંબઇ, તા.20
ભારતીય બેંકો દ્વારા કોરોના કાળ બાદ પર્સનલ લોન અને ક્રેડીટ કાર્ડની છૂટા હાથે લ્હાણી કરવામાં આવી હતી તેમાં હવે બેન્કો પગ નીચે રેલો આવી રહ્યો છે અને રૂા.10 હજાર કે તેથી ઓછાની નાની પર્સનલ લોનમાં ડીફોર્લ્ટની ટકાવારી સતત વધી રહી છે.
બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ નાના ગ્રામી ક્ષેત્રોમાં આ પ્રકારે ટીવી-ફ્રીઝ, મોબાઇલ કે અન્ય જરુરીયાતો માટે પર્સનલ લોનમાં મોટુ જોખમ લીધું હતું અને ડિસેમ્બર-2023થી જુન 2024 વચ્ચે જે લોનો ભરપાઇ થવી જોઇએ તેમાં 44 ટકા બાકીદારો ડીફોર્લ્ટ બન્યા છે એટલે કે તેઓ લોન ભરપાઇ કરી શક્યા નથી. આ પ્રકારની અનસિક્યોર્ડ ધિરાણ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ ઉંચા વ્યાજદર વસુલે છે.
થોડા કલાકો કે થોડા દિવસોમાં આ મંજુર કરી દેવાય છે અને એક વ્યકિત એકથી વધુ બેન્કો કે નાણાંકીય સંસ્થાઓ આ પ્રકારનું ધિરાણ મેળવે છે તેનું પણ ક્રોસ થતું નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy