(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.30
અમરેલી શહેરમાં અંદાજિત 50 જેટલા સ્થળોએ ગોલા, શેરડીનો રસ, આઈસ્ક્રીમ અને લચ્છીનું વેચાણ થતું હોય જેમાં શહેરીજનો પચાવી ન શકે તેવા મલાઈ, માવો કે કેમિકલ યુકત કલરનો ઉપયોગ તો થતો નથીને તેની ચકાસણી ફૂડ વિભાગે કરવાની જરૂર છે.
અમરેલીમાં છેલ્લા બે મહિનાથી તાપમાનનો પારો 40 થી 44 ડીગ્રી વચ્ચે જોવા મળતાં કાળઝાળ ગરમી વચ્ચે મોડી સાંજથી લઈને મોડી રાત્રિ સુધી શહેરીજનો આઈસ્ક્રીમ, શેરીડીનો રસ અને ગોલા ઠંડક મેળવવા આરોગતા હોય છે.
તાજેતરમાં રાજકોટનાં સુપ્રસિઘ્ધ ગોલાધારકને ત્યાંથી અખાદ્ય પદાર્થ ઝડપાયો હોય તગડો પગાર વસુલતા ફૂડ વિભાગનાં કર્મચારીઓએ ગોલા, શેરડી કે આઈસ્ક્રીમનું વેચાણ કરનારને ત્યાંથી નમૂના લેવાનું શરૂ રાખવું જોઈએ.
જો અખાદ્ય પદાર્થ યુકત ગોલા, શેરડીનો રસ કે આઈસ્ક્રીમ આરોગવાથી શહેરીજનોની તબિયત લથડે અને બાદમાં ચકાસણી કરવી તેનાં કરતાં અગાઉથી જ પાણી પહેલા પાળ બાંધવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહીછે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy