પોરબંદરમાં બાકી રહેલા રસ્તાઓનું સમારકામ કરવા માંગ

Local | Porbandar | 26 April, 2025 | 11:21 AM
સાંજ સમાચાર

પોરબંદર,તા.26
 પોરબંદરના અમુક રસ્તાઓનું મહાનગરપાલિકા દ્વારા હજુ પણ સમારકામ હાથ ધરાયુ નથી જેને લઈને સામાજિક આગેવાન દ્વારા તાલુકા સ્વાગત કાર્યકમમાં આ પ્રશ્નનો રજૂ કરવામાં આવ્યો છે.

પોરબંદર શહેરમાં ગત ચોમાસા દરમ્યાન ભારે વરસાદને લઈને મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ગયા હતા ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ બિસ્માર રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ હજુ 20 થી વધુ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી.

જેને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા તાલુકા સ્વાગત કાર્યકમમાં આ પ્રશ્નને રજૂ કરવામાં આવ્યો છે આગાઉ આ આગેવાન દ્વારા બિસ્માર રસ્તા બાબતે જીલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા, અને પ્રભારી મંત્રી સહિતના ઓ ને પણ રજુઆત કરવામાં આવી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj