પોરબંદર,તા.26
પોરબંદરના અમુક રસ્તાઓનું મહાનગરપાલિકા દ્વારા હજુ પણ સમારકામ હાથ ધરાયુ નથી જેને લઈને સામાજિક આગેવાન દ્વારા તાલુકા સ્વાગત કાર્યકમમાં આ પ્રશ્નનો રજૂ કરવામાં આવ્યો છે.
પોરબંદર શહેરમાં ગત ચોમાસા દરમ્યાન ભારે વરસાદને લઈને મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ગયા હતા ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ બિસ્માર રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ હજુ 20 થી વધુ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી.
જેને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા તાલુકા સ્વાગત કાર્યકમમાં આ પ્રશ્નને રજૂ કરવામાં આવ્યો છે આગાઉ આ આગેવાન દ્વારા બિસ્માર રસ્તા બાબતે જીલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા, અને પ્રભારી મંત્રી સહિતના ઓ ને પણ રજુઆત કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy