રાજકોટ તા.28
ઉપલેટા તાલુકાના ભાયાવદર નજીક આવેલા મોજીરા ગામે રહેતા દેવાયતભાઈ ગોવાભાઈ ભારાઈ (ઉ.વ.70) બાઈક પર જતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત થયા હતા. દસેક દિવસ પહેલાના બનાવમાં ભાયાવદર, ઉપલેટા, જુનાગઢ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમા સારવાર લીધા બાદ લાંબી સારવારમાં અંતે દેવાયતભાઈએ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો.
આ અંગે મળતી વિગત મુજબ દેવાયતભાઈ તા.17/4ના રોજ વહેલી સવારે ભાયાવદર ખાતે પોતાને ડાયાબીટીસ હોવાથી દવા લેવા ગયા હતા. જયાંથી પરત મોજીરા ગામ પોતાના ઘરે આવી રહ્યા હતા. આશરે સવારે 10 વાગ્યા આસપાસ ભાયાવદરમાં ઉપલેટા રોડ પર પેટ્રોલપંપ સામે અચાનક તેનું બાઈક સ્લીપ થઈ જતા માથે-શરીરે ઈજા થઈ હતી.
તેઓને પ્રથમ ભાયાવદરની સરકારી હોસ્પિટલ બાદ ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમના પરિવારજનો સગાસંબંધીઓ દોડી આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે દેવાયતભાઈને જુનાગઢની કે.જે.નિદાન કેન્દ્ર પ્રાઈવેટ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જયાં લાંબી સારવાર ચાલી હતી. દરમ્યાન ગઈકાલે તેઓને બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા.
અત્રે ઈમરજન્સી વિભાગમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતું. ભાયાવદર પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી. પરિવારજનોએ જણાવ્યા મુજબ, દેવાયતભાઈ 2 બહેનના એકના એક ભાઈ હતા. તેમને સંતાનમાં 1 દીકરી અને 2 દીકરા છે. બનાવના પગલે પરિવારમાં શોક છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy