ટંકારા તા.9
મોરબીના વજેપરના સર્વે નં.1053 પૈકીની ખેતીની જમીન હે.આરે.ચો.મી. 91 પૈકીની 20%ની જમીન ભગવાનજી રામજીભાઈ ડાભી પાસેથી અશોકભાઈ રાજાભાઈ રાજપરાએ બોગસ સોદાખત ઉભુ કરી આ બોગસ સોદાખતના આધારે સોદાનો અમલ કરાવવા મોરબીની કોર્ટમાં દી.કેસ નં. 60/15થી દાવો કરેલ. સદરહુ દાવો વાદી અશોકભાઈ રાજાભાઈ રાજપરાની બેદરકારીના કારણે દાવો કનામદાર કોર્ટે કાઢી નાખેલ (ડીડી કરેલ).
જેથી વાદીએ કોર્ટ સમક્ષ તે જ દાવો રીસ્ટોર કરવા માટે દિ.પ.અ.નં. 34/18થી ફરી દાવો બોર્ડ પર લઈ ચલાવવા માટે અરજી કરેલ પરંતુ તે અરજી પણ રદ કરેલ જેની સામે અશોકભાઈ રાજાભાઈ રાજપરાએ ડીસ્ટ્રીકટ કોર્ટમાં દિ.પ.અપીલ નં.07/2019થી અપીલ દાખલ કરેલ અને સદરહું અપીલમાં ડીસ્ટ્રીકટ કોર્ટ બન્ને પક્ષકારોની દલીલ સાંભળી એપેલેન્ટ પોતાનો દાવો રીસ્ટોર કરવાની અપીલ પુરવાર કરવામાં નિષ્ફળ જતા વાદી/ એપેલેન્ટ અશોકભાઈ રાજાભાઈ રાજપરાની અપીલ પણ રદ કરી કાઢી નાખેલ છે.
અને ભગવાનજીભાઈ રામજીભાઈ ડાભી, અશોકભાઈ બાબુભાઈ ભીમાણી વિગેરે 7 પ્રતિવાદી/ રિસ્પોન્ડન્ટના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટકની દલીલને ધ્યાને લઈ તેમની તરફેણમાં ચુકાદો આપેલ છે. પ્રતિવાદીના પક્ષે વિદ્વાન વકીલ નીકુંજભાઈ કોટક, તથા તેમના જુનીયર હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા, અશોકભાઈ દામાણી તથા કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy