હરિયાણા ,તા.22
પાણીપતના જીટી રોડ સ્થિત ઓસ્કર હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું હતું. યુવકનાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ડોક્ટર સામે સારવારમાં બેદરકારી અને ખોટી સારવારના ગંભીર આક્ષેપો કર્યા હતાં. પરિવારનાં સભ્યો અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે મારામારી પણ થઈ હતી.
હંગામાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પરિવારજનોને શાંત પાડ્યાં અને સમગ્ર ઘટના અંગે ડોક્ટરને પૂછ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.
પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધી પોસ્ટમોર્ટમ કરાવી લાશ પરિવારજનોને સોંપી હતી. સિવિલ સર્જને આ મામલાની તપાસ માટે ત્રણ ડોક્ટરોની કમિટીની રચના કરી હતી. સમિતિના રિપોર્ટના આધારે આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ગઢી સિકંદરપુર ગામનાં રહેવાસી નવીન કુમારે જણાવ્યું કે તે ત્રણ ભાઈઓ છે. તેનાં મોટા ભાઈ પ્રવીણને પગ અને હાથ સુન્ન થવાની સમસ્યા હતી. તે 17 જાન્યુઆરીએ પ્રવીણને જીટી રોડ પર આવેલી ઓસ્કર હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. અહીં ડો. સુશાંત દત્તે પ્રવીણનું એમઆરઆઈ કરાવ્યું હતું.
ડો. સુશાંતે જણાવ્યું કે પ્રવીણનું મગજ પાણીથી ભરાઈ ગયું છે. તેનાં મગજની ચેતા પણ નબળી પડી ગઈ છે. તેણે પ્રવીણનું ઓપરેશન કરવાનું કહ્યું હતું. તેણે આયુષ્માન યોજના હેઠળ પ્રવીણનું ઓપરેશન કર્યું હતું. ડો. સુશાંતે તેને કહ્યું હતું કે ઑપરેશન પછી પ્રવીણ છ કલાક પછી ભાનમાં આવશે, પરંતુ તે ભાનમાં આવ્યો નહોતો. બીજા દિવસે તેણે ડોક્ટરને પ્રવીણની તબિયત વિશે પૂછ્યું અને તેણે કહ્યું કે તેને ભાનમાં આવતાં ઘણાં દિવસો લાગી શકે છે.
19 જાન્યુઆરીએ ડોક્ટરે કહ્યું કે પ્રવીણ કોમામાં છે. તેને ફરીથી સભાન થવામાં છ મહિના કે એક વર્ષ પણ લાગી શકે છે. જ્યારે તેણે પ્રવીણની હાલત વિશે કડકાઈથી ડોક્ટરને પૂછ્યું તો તેણે કહ્યું કે તેની હાલત ખૂબ જ ગંભીર છે. તે જ સાંજે, તેઓને પ્રવીણના મૃત્યુની જાણ થઈ, પરંતુ ડોક્ટરો કહેતાં રહ્યાં કે તે વેન્ટિલેટર પર છે. 20 જાન્યુઆરીએ ડો. સુશાંતે તેમને મૃત જાહેર કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy