અમદાવાદ,તા.9
ગુજરાત હાઇકોર્ટે ખ્યાતિ હોસ્પિટલના કોભાંડમાં મુખ્ય આરોપી ડો. પ્રશાંત વજીરાણી દ્વારા કરવામાં આવેલી જામીન અરજી ફગાવી દીધી હતી જ્યારે ત્રણ આરોપીઓને જામીન મંજૂર કરતો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ડોક્ટર પ્રશાંત વજીરાણી હૃદય રોગના નિષ્ણાત તરીકે હોસ્પિટલમાં કામ કરતા હતા અને તેઓએ જરૂર નહીં હોવા છતાં દર્દીઓ ઉપર એન્જીઓગ્રાફી કરી હતી.
તે પૈકી બે જણાના મરણ થયા હતા. બીજી બાજુ જેમના જામીન મંજુર કરવામાં આવ્યા છે તેમાં હોસ્પિટલ ના ડાયરેક્ટર રાજશ્રી કોઠારી સંજય પટોળીયા તેમજ સીઈઓ રાહુલ જૈન નો સમાવેશ થાય છે.
ડોક્ટર પ્રશાંત વજીરાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેની સામે કોઈ ગુનો બનતો નથી કારણ કે સદોષ માનવ વધની કલમ તેની ઉપર લાગતી નથી. આ ઉપરાંત એ પણ હૃદય રોગની સર્જરી કરી હતી તે જરૂર હતી તેના રિપોર્ટના આધારે જ કરી છે. તે પોતે નિષ્ણાત ડોક્ટર છે અને કોઈપણ જાતના બદ ઇરાદાથી આ કૃત્ય કરવામાં આવેલું નથી. આથી તેમનો જામીન ઉપર મુક્ત કરવા જોઈએ.
બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા જામીન આપવા સામે સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી દ્વારા જરૂર ના હોય તેવા દર્દીઓ ઉપર ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ બાબતે જરૂરી પુરાવા અને નિષ્ણાતોના અહેવાલ પણ છે. આ ઉપરાંત જે લોકો પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થી નહોતા તેઓને પણ લાભ આપવા માટે દસ્તાવેજો સાથે ચેડા કરીને સરકાર પાસેથી પૈસા મળે તે માટે તેઓને લાભાર્થી બનાવવામાં આવ્યા હતા અને તેઓનો ઓપરેશન કરીને સરકાર પાસેથી નાણા મેળવવામાં આવ્યા હતા. આથી આ એક વ્યવસ્થિત કૌભાંડ હતું આવા કિસ્સામાં જામીન આપવા જોઈએ નહીં.
બંને પક્ષોએ રજૂઆત સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે નોંધ કરી હતી કે પ્રસ્તુત આરોપી ડોક્ટર દ્વારા સમગ્ર કિસ્સામાં મહત્વનો રોલ ભજવવામાં આવ્યો છે તેથી તેને જામીન આપી શકાય નહીં. રજૂ કરવામાં આવેલા પુરાવા ઉપરથી સાબિત થશે આરોપી ડોક્ટર દ્વારા એન્જોગ્રાફીના રિપોર્ટ પોતાના સ્વ હસ્તાક્ષરે તૈયાર કરવામાં આવ્યા હતા એના પાછળથી તપાસ થતાં તેમાં ફેરફારો પણ કરવામાં આવ્યા હતા.
આ રિપોર્ટ સાથે ચેડા થયા હતા અને ખોટી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. અહેવાલો શંકાસ્પદ હતા. સરકારની રજૂઆત મુજબ કેટલાક કિસ્સાઓમાં દર્દીઓને એન્જો પ્લાસ્ટિની જરૂર નહોતી તેમ છતાં પણ તેમની એન્જો પ્લાસ્ટિ આવી હતી. કેટલાક કિસ્સાઓમાં એક સ્ટેન્ટની જરૂર હતી તેમ છતાં પણ બે સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા.
આથી જો સરકારી તંત્ર દ્વારા યોજનાના લાભ માટે મંજૂરી આપવામાં આવી હોય તો તેમની પણ તપાસ થવી જરૂરી છે. સરકારની રજૂઆત મુજબ દર્દીઓને જરૂર નહીં હોવા છતાં એન્જો પ્લાસ્ટિ કરીને પીએમ જે એ વાય યોજના હેઠળ સરકારી પૈસા પડાઈ લેવાનું આ એક વ્યવસ્થિત કૌભાંડ હતું.
આરોપી દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે સદોષ માનવ વધની કલમ આમાં લાગુ પડતી નથી પરંતુ એક વાત યાદ રાખવી જરૂરી છે કે બે દર્દીઓ ગુજરી ગયા તેમના મૃત્યુ કુદરતી મરણ નહોતા. વધુમાં એ વાત પણ યાદ રાખવી જરૂરી છે કે સાત દર્દીઓને જરૂર નહોતી તેમ છતાં પણ તેઓની સર્જરી કરવામાં આવી નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy