વઢવાણ,તા.24
વઢવાણ જીઆઇડીસી અને માર્કેટિંગ યાર્ડ વચ્ચે નાળુ જર્જરિત બન્યું છે આથી ભારે વાહનોને કારણે દુર્ધટનાનો ભય ઊભો થયો છે. ત્યારે ભયજનક નાળાની દીવાલ તૂટી ગઇ છે. આથી આ નાળાનું રિપેરીગ કરવા લોકમાગ ઊઠી છે.
વઢવાણ જીઆઇડીસીમાં 1000થી વધુ નાના મોટા કારખાનાના એકમો આવેલા છે. જ્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં પણ વેપારીઓ શાક બકાલા માટે આવે છે. આથી ભારે વાહનોની અવર જવર વધુ રહે છે. ત્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડ પાસે નાળુ જર્જરિત બન્યું છે. આ નાળાની દીવાલ તૂટી ગઇ છે. આ નાળાનો સ્લેબ તૂટે તે પહેલાં રિપેરીંગની લાગણી અને માગણી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy