રાજકોટ તા.9
ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનાં માહોલને કારણે બંદરોની કામગીરી પ્રભાવીત થવાના સંજોગોમાં સપ્લાય અટકવાની ભીતિથી ખાદ્યતેલોમાં એકાએક તેજી થઈ ગઈ છે અને બે દિવસમાં જ ભાવમાં 40 થી 50 રૂપિયાનો ઉછાળો આવી ગયો છે.
ખાદ્યતેલોનાં ભાવો કેટલાંક વખતથી મંદીમા હતા અને વેપારીઓ પણ અકળાયા હતા ત્યારે યુદ્ધના માહોલે તેજી સર્જી દીધી હતી. વેપારીઓનાં કહેવા પ્રમાણે પાકિસ્તાન સાથે હાલત વણસે તો બંદર પરથી સપ્લાય પ્રભાવીત થઈ શકે છે.આ પ્રકારની આશંકા તથા સ્ટોક કરવાનાં માનસથી ભાવ ઉછળ્યા છે જોકે, બંદર પર સપ્લાય હાલ તુર્ત યથાવત છે. એટલે પ્રવર્તમાન તેજી ટકી શકવા વિશે શંકા છે. વિશ્વ બજારોમાં સ્થિરતા છે એટલે તેજી માટે વૈશ્વિક ટેકો પણ મળી શકે તેમ નથી.
આ સિવાય માવઠા-કમોસમી વરસાદને કારણે આવકો-ઉત્પાદનમાં અવરોધ તથા થોડી ઘણી નુકશાનીની પણ અસર છે. રાજકોટમાં આજે સીંગતેલ નવા ટીનનો ભાવ 15 રૂપિયા વધીને 2300 થી 2450 હતો.ગઈકાલે રૂા.25 વધી ગયા હતા.
કપાસીયા તેલ ડબ્બામાં બે દિવસ દરમ્યાન 35 રૂપિયાના ઉછાળા બાદ આજે વધુ 15 રૂપિયા વધીને 2215 થી 2265 થયુ હતું. પામોલીન ડબ્બે બે દિવસમાં 25 રૂપિયા વધીને 1995 થી 2020 હતું. યુદ્ધના માહોલમાં કૃત્રિમ ભાવ વધારો કે સંગ્રહાખોરી ન થાય તે માટે સરકારે વહીવટી તંત્રને સુચના આપી છે. તેવા સમયે જ ખાદ્યતેલો મોંઘા થઈ ગયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy