વિંછીયા, તા.13
વિછીયામાં આજે સ્વ. વીણા બેન અનિલભાઈ બરછાની સ્મૃતિમાં દેરાવાસી જૈન વાડીમાં રાજગઢ ચોકમાં સાંજે ચાર વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી એક ભવ્ય રક્તદાન કેમ્પ યોજાશે જેમાં વિછીયા પંથકના હજારો સ્વૈચ્છિક રક્ત દાતાઓ ઉમટી પડી જરૂરિયાત મંદોને મદદ કરવા રક્તદાન કરશે.
આ રક્તદાન કેમ્પમાં ધારેશ્વર મહાદેવ મંદિર સમઢીયાળાના મહંત અને ધર્મ સાંસદ કનૈયા ગીરી ગુરુ મણિ ગીરીબાપુ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકશે. અતિથિ વિશેષ તરીકે વિંછીયા કોર્ટના ન્યાયાધીશ કે એન જોશી ખાસ ઉપસ્થિત રહેશે. જરૂરિયાત મંદોને વિના મૂલ્ય ચશ્મા પણ આપવામાં આવશે તેમ શુભાંગ બરછા એ જણાવ્યું છે..
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy