ધોરાજી તા.18
વડાલ ગામના મહીલા અગ્રણી એવા રંભાબેન નાથાભાઈ પટોડીયાનું અવસાન થતા પરિવારજનોએ સ્વ.ના ચક્ષુદાન કરવા અંગે ધોરાજીના માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને ટેલીફોન દ્વારા જાણ કરાતા સરકારી હોસ્પીટલના અધિક્ષક ડો. મોટા વેસેટીયન, ડો. હરદીપસિંહ જાડેજા, મેડીકલ ટીમના પ્રતીક કંડોલીયા, દીપક ભાસ્કર અને દિપક પારધી અને માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા સહીતનાઓએ વડાલ જઈ ચક્ષુદાન પ્રક્રિયા કરેલ હતી.
આ તકે કાન્તીભાઈ પટોડીયા, વિનુ પટોડીયા, પ્રફુલભાઈ પટોડીયા, સંદીપભાઈ પટોડીયા, મહેશભાઈ પટોડીયા, હિરાભાઈ પટોડીયા, દામજીભાઈ પટોડીયા, નિકુંજભાઈ પટોડીયા, પ્રતીકભાઈ પટોડીયા, મીતભાઈ પટોડીયા સહીતના હાજર રહેલ હતા.
આ તકે વડાલ ગામના રાહદારીઓ અને ડો. આકાશ પટોડીયા સહીતનાઓએ માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલ ધોરાજીની સેવાઓને બીરદાવી હતી. ધોરાજી વિસ્તારમાં ચક્ષુદાન, દેહદાન સહીત ડોનેશન માટે મો.નં.98987 01774/98987 15775 અને સરકારી હોસ્પીટલ ધોરાજીના ફોન નં.02824-220139 પર સંપર્ક કરવા જણાવાયું છે.
આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીએ વડાલના પટોડીયા પરિવારની સેવાઓને બિરદાવી સ્વ.રંભાબેનને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા. ધોરાજી માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલને 358મું ચક્ષુદાન મળેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy