રાજકોટ, તા.13
સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયામાં 162 કેન્દ્રો ઉપર મગફળીની ખરીદી શરૂ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પ્રતિ મણ રૂા. 1356થી ખરીદી થઇ રહી છે. જે ઓપન બજારની સરખામણીએ વધુ ભાવ ખેડૂતોને મળે છે. ખેડૂતોને પ્રતિ મણ રૂા.200નો ફાયદો થઇ રહ્યો છે. તેમ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને મગફળીના ભાવ સારા મળે તે માટે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે. ખેડૂતોને ઓપન બજારની સરખામણીએ સારા ભાવ મળતા મગફળી વેંચી રહ્યા છે. મગફળી ખરીદીની પ્રક્રિયા તમામ કેન્દ્રોની ઝડપી બને કોઇ ખેડૂત બાકી ન રહે તે માટે સુચના આપવામાં આવી છે.
વધુમાં કોઇપણ કેન્દ્રમાં મગફળીની ધીમી ખરીદીની ફરિયાદ મળશે તો તેનું તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવશે તેમ અંતમાં કૃષિ રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy