પોરબંદર,તા.26
હાલમાં ભારત સરકાર દ્વારા દેશભરમાં ફાયર સેફટી વીક ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે પોરબંદર ની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ખાતે અગ્નિ સુરક્ષા અંગે જાગૃતિ અને તાલીમ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ તાલીમ સત્રમાં ફાયર ઓફિસર યશ મોઢા તથા એ.એચ.એ. ભરતકુમાર ગોસાઈ એ મેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓને આગ લાગતી પરિસ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રીતે વ્યવહાર કરવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું . તેમણે આગના વિવિધ પ્રકારો - જેમ કે ચપટા આગ, પ્રવાહી આગ અને ગેસ આગ - તેમજ તેના પાછળના સંભવિત કારણો વિશે વિસ્તૃત માહિતી આપી. સાથે જ, એડવાન્સ્ડ અગ્નિ સુરક્ષા ઉપકરણો જેવી કે ફાયર હાઈડ્રન્ટ સિસ્ટમ, ફાયર એક્સટીંગ્યુશર, ફાયર અલાર્મ સિસ્ટમ, સ્પ્રીક્લર સિસ્ટમ અને ફાયર ડીટેકશન સિસ્ટમના કાર્ય અને યોગ્ય ઉપયોગ અંગે પ્રાયોગિક માર્ગદર્શન પણ આપ્યું. તાલીમ દરમિયાન વિશેષ ભાર એ વાત પર મુક્યો હતો કે આગ લાગતી પરિસ્થિતિમાં તુરંત અને ચોકસાઈપૂર્વક કેવી રીતે પ્રતિક્રિયા કરવી. દર્દીઓ અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા અને પહેલાં પગલાંઓ કેવી રીતે લેવા તે પણ માર્ગદર્શન અપાયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy